છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા થતાં વરસાદના આગમનની રાહ જાેવામાં આવી રહી હતી ત્યારે હવે રાજ્યમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. શરૂઆતમાં જ મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ૭ જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. રાજ્યના ૬ જળાશય ૧૦૦ ટકા ભરાયા છે. ધાતરવાડી, સુરજવાડી, રોજકી જળાશય હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. બગડ, રંગોડા, ધોળીધજા, મલાણ જળાશય હાઇએલર્ટ પર છે. તો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા છે. અમરેલીમાં ૮૦, બોટાદમાં ૪૦ લોકોનું સ્થળાંતર કરાયુ છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૯ લોકોના રેસ્ક્યુ કરાયા છે. દ્ગડ્ઢઇહ્લની ૫ ટીમ ડિપ્લોય, ૧૦ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૧ તાલુકામાં ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે. આ પૈકી સૌથી વધુ ગઢડામાં ૧૪ ઇંચ, પાલીતાણામાં ૧૨ ઇંચ, સિહોરમાં ૧૧.૬ ઇંચ, બોટાદમાં ૧૧ ઇંચ, ઉમરાળામાં ૧૦.૪ ઇંચ, જેસરમાં ૧૧ ઈંચ, મહુવામાં ૯ ઈંચ અને રાજુલામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ગામમાં ત્રણ મકાનો ધરાશાયી થયા. સંખેડાના ઝવેરી વાગા વિસ્તારમાં એક પછી એક ત્રણ જૂના મકાનો ધરાશાયી થયા, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘરના કાટમાળ નીચે દબાઈ જવાથી બહાર પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે કાર્યરત છે. ગઈકાલે સાંજે ૫ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધી ગુજરાતના બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગઢડામાં ૧૪ ઇંચ નોંધાયો હતો. બોટાદમાં સાડા સાત ઇંચ, રાણપુરમાં અઢી ઇંચ અને બરવાલામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.
ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. મેઘ મહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ સિવાય મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી પણ સામે આવી હતી. ભારે વરસાદને લઈને હવે શાળાઓને લઈને મહત્ત્વનો ર્નિણય લેવાયો છે. અતિભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (૧૮ જૂન) શાળાઓ બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.
ભાવનગરના જિલ્લા કલેક્ટકર ડૉ. મનીષ બંસલે માહિતી આપી કે, ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે, ૧૮ જૂન ૨૦૨૫ના દિવસે તમામ શાળાઓમાં (જેમાં પ્રિ-પ્રાઇમરીથી લઈને ધોરણ ૧૨ સુધીનો સમાવેશ થાય છે) રજા જાહેર કરવામાં આવે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોને અપીલ છે કે, આવતી કાલે તમામ શાળા બંધ રાખવામાં આવશે. આ નિર્દેશ ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ તમામ શાળાઓને લાગુ પડશે.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભૂતિયા ગામ નજીક ભૂતિયા અને શેત્રુંજી ડેમને જાેડતો કોઝવે તૂટી ગયો. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજીની જૂની પાઈપલાઈન પણ તૂટી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ભાવનગરના વલ્લભીપુર તાલુકાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવતા નદીના પાણી આસપાસના ગામડાઓમાં ઘૂસી ગયા હતા. જેના કારણે નવાગામ, લોલિયાના, હાલિયાદ અને ખેતાટીંબી સહિતના ગામડાઓનો તાલુકા સાથેનો સંપર્ક તૂટ્યો છે. નવા નીર આવવાથી નદીની આસપાસના ગામડાઓને ઍલર્ટ કરી દેવાયા છે.
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો જાેવા મળ્યા. તેવામાં સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
આજે બુધવારે (૧૮ જૂન)ના રોજ, ૈંસ્ડ્ઢ અનુસાર, ગુજરાતના ૧૨ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવગનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ૧૫ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી મેઘ મહેર

Recent Comments