મણિપુરમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની હાઈલેવલ બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મણિપુરની સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી. આ બેઠકમાં મણિપુરના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર, ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ, ઇસ્ટર્ન કમાન્ડના આર્મી કમાન્ડર, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ડિરેક્ટર જનરલ (બીએસએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને આસામ રાઇફલ્સ, સુરક્ષા સલાહકાર, મણિપુરના સુરક્ષા સલાહકાર અને ગૃહ મંત્રાલય (એમએચએ), આર્મી અને મણિપુર વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર મણિપુરમાં સ્થાયી શાંતિ પુનઃસ્થાપિત કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને આ સંબંધમાં તમામ જરૂરી સહાય પ્રદાન કરી રહી છે.
Recent Comments