અમરેલી જિલ્લા વ્યાપક પ્રમાણ માં ઓર્ગેનિક ખેતી થતી હોવા ની વાત માં સાચું કેટલું ? અમરેલી જિલ્લા માં ૩૬૦૦૦ હેકટર માં પ્રાકૃતિક કૃષિ પાણી પર્યાવરણ માનવીય સ્વાસ્થ્ય ના રક્ષણ માટે ઓર્ગેનિક ખેતી થઈ હોવા ની વાત માં તથ્ય ખરું ? સત્વશીલ ખેતી ના ગ્લોબલ પ્રસાર થી વ્યાપ થોડો વધશે ?ઓર્ગેનિક ખેતી સારી વાત છે પણ બેધારી નીતિ થી ભારે અસમંજસ પ્રાકૃતિક ખેતી નો વધતા વ્યાપ નો ભ્રામક પ્રચાર લાભ કરતા નુકશાન વધુ કરી રહ્યો છે ઝેર મુક્ત જીવન ગાય આધારિત ખેતી નો જોરશોર થી પ્રસાર માં સત્ય ખરું ? ગાય કેટલા ખેડૂતો પાળે છે ? એક ગાય થી જીવામૃત નું કેટલું ઉત્પાદન થાય ? એકબાજુ પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો અભિયાનો ચલાવાય રહ્યા છે બીજી બાજુ અતિ વિપરીત સ્થિતિ થી તંત્ર જ અજાણ છે સરકારી કચેરી માં બેચી ને આંકડા જાહેર કરાતા હશે કે સર્વે કરી ને ? અમરેલી જિલ્લામાં ૩૬૦૦૦ હેકટર માં વાવેતર હોવા ની વાત માં તથ્ય હોય તો ક્યાં ગામ માં કેટલા ખેડૂતો એ શું વાવેતર કર્યું છે પ્રાકૃતિક ખેતી ના નામે મોટું અને ખોટું માર્કેટીંગ ક્યાં સુધી ? ઓર્ગેનિક ખેતી માં નહિવત ઉત્પાદન આંખ ને ગમે નહિ તેવી ક્વોલિટી અપુરતા ભાવ તેની સામે એક સરખું ઉત્પાદન આંખ ને ગમે તેવી ક્વોલિટી અને કોન્ટેટી પાણી ના ભાવે વેચાણ થઈ રહું છે કોઈ ભાવ પણ પૂછતું નથી સાચું કોણ ? અમરેલી જિલ્લા માં ૩૬૦૦૦ હેકટર ના ૩૪ હજાર ખેડૂતો ક્યાં પ્રાકૃતિક ખેતી કરી ?
આ આંકડા કેવી રીતે લેવાય રહ્યા છે ? જમીની હકીકત સાથે બંધ બેસતા નથી ઓર્ગેનિક ખેતી નો વ્યાપ વધારવા માટે એક ગામ માં ઓછા માં ઓછો એક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો જ હોવો જોઈએ આને નમૂના રૂપ ખેડૂત બનાવી આ ખેડૂત ને ફાયદા ઓ થાય તો બીજા ખેડૂતો પણ અનુકરણ કરે આ પ્રકાર ની ખેતી કરતા ખેડૂતો ત્રણ ચાર વર્ષ થી ઓર્ગેનિક ખેતી સદંતર બંધ કરી તેના મુખ્ય કારણો માર્કેટીંગ નો અભાવ મજૂરો કામ કરવા સંમત ન હોય અપૂરતો ભાવ આને પ્રોત્સાહિત કરવા જોઈ એ તેની માટે સ્પેશિયલ યોજના કરવી જોઈ એ સવાલ એ ઉભો થાય છે કે કોઈ ગામ માં કોઈ એક સક્સેસફુલ ખેડૂત હોય તો બીજા ખેડૂતો અપનાવવા કેમ તૈયાર નથી ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી બંધ પણ કરી દે છે તેના કારણો તરફ સરકારે ધ્યાન પૂવર્ક સર્વ અને સંશોધન કરી ખરી માહિતી મેળવવી જરૂરી પ્રાકૃતિક ખેતી કરતા ઓનું વાસ્તવિક સર્વે કરાય તો ખ્યાલ આવે પ્રાકૃતિક ખેતી ના નામે મોટા ભાગે માર્કેટીંક કરી ભરોસા ની ભેંસ ને પાડો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે અને ઓર્ગેનિક ખેતી માં ઉત્પાદન પૂરતું ન આવતા મંજુર ભાગીયા આવી ખેતી કરવા ખુશ નથી એક બાજુ ઓર્ગેનિક ખેતી અભિયાન અને બીજી તરફ પેસ્ટીસાઈડ ઉત્પાદકો ને પદ્મશ્રી અપાય આવી બે ધારી નીતિ કેમ જેવા અનેક સવાલ કરતા પ્રાકૃતિક ખેતી ખેડૂત દેવચંદભાઈ આલગિયા ના સવાલ ઉપર વિચારવા જેવું ખરું
Recent Comments