શહેરના કાલુપુર વિસ્તારમાં ગાંધી રોડ પર આવેલ અરિહંત ગિફ્ટ અનેડ કિચેઈન શોપ પર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે ૪૮૯ ઈ સિગારેટ અને રિફીલનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં મનોજ જુમારજી, ભરતજી દરબાર અને રાકેશ લખારાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ૧૧ ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં આરોપી મનોજ જુમારજી ઈ સિગારેટ વેચનાર મુખ્ય આરોપી હોવાનું તથા એક વર્ષ પહેલા તેની સામે આ જ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અન્ય બે આરોપી ગોડાઉનમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ફરાર આરોપીઓમાં ઈ સિગારેટ મુંબઈથી મોકલનારા શખ્સ સહિત ૧૧ આરોપીનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં એસએમસીના દરોડા; ૩ લોકોની ધરપકડ કાલુપુરમાં ગાંધી રોડ પર આવેલી અરિહંત ગિફ્ટ અનેડ કિચેઈન શોપ પર દરોડોમાં ૪૮૯ ઈ સિગારેટ અને રિફીલનો જથ્થો કબજે

Recent Comments