રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત સમયે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, જાે શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટે વાતચીત કરવાના તમામ પ્રયાસોમાંથી પીછેહટ કરશે.
વધુમાં રૂબિયોએ જણાવ્યું હતું કે, અમે આ શાંતિ કરારનો પ્રયાસ અઠવાડિયા, મહિના સુધી જારી નહીં રાખી શકીશું નહીં. આથી આપણે ઝડપથી ર્નિણય લેવાની જરૂર છે. હું થોડા જ દિવસોની વાત કરી રહ્યો છું. આગામી થોડા સપ્તાહમાં જ ર્નિણય લેવામાં આવશે તો અમે મધ્યસ્થી રહીશું. જાે ર્નિણય નહીં લેવાય તો અમે બહાર નીકળી જઈશઉં. અમારે અન્ય પ્રાથમિકતાઓ પર પણ ધ્યાન આપવુ પડશે. રૂબિયોએ પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત બાદ આ નિવેદન આપ્યું હતું.
તેમજ રૂબિયોએ કહ્યું હતું કે, ટ્રમ્પ હજી પણ આ કરારમાં રૂચિ ધરાવે છે. પરંતુ તેમાં કોઈ સફળતા મળી રહી નથી. જેથી તેઓ પીછેહટ કરવા તૈયાર છે. નોંધનીય છે, ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન પોતાના પ્રમુખ બન્યાના ૨૪ કલાકની અંદર યુદ્ધ સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું. પરંતુ હજી સુધી આ મામલે કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. અનેક પડકારો વધતાં તેમણે એપ્રિલથી મે સુધીમાં આ યુદ્ધમાં શાંતિ કરાર કરવાની ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર શાંતિ કરાર મંત્રણામાં રોડા નાખી રહ્યુ હોવાનો આરોપ મૂક્યો હતો. તેમજ ધમકી પણ આપી હતી કે, જાે રશિયા સીઝફાયરના પ્રયાસોમાં રોડા નાખશે તો તેઓ રશિયન ક્રૂડ પર ૨૫થી ૫૦ ટકા ટેરિફ લાદશે. વધુમાં હાલમાં જ રશિયા દ્વારા યુક્રેનના સુમી શહેરમાં બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલાની પણ નિંદા કરી હતી. ટ્રમ્પે આ હુમલાને અયોગ્ય અને નિંદનીય પુરવાર કર્યો હતો. જેમાં ૩૪ લોકો માર્યા ગયા હતાં. તેમજ ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
જાે શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટેના તમામ પ્રયાસોમાંથી પીછેહટ કરશે

Recent Comments