ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદમાં મંગળવારે કોરોના સંક્રમિતોનો આંકડો વધીને ૧૯૧ પર પહોંચી ગયો છે. રવિવારે જ આઇઆઇએમ-છના ૪૫ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને કર્મચારીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. આઇઆઇએમ અમદાવાદે કોવિડ-૧૯ ડેશબોર્ડ અનુસાર, કેમ્પસમાં ૧૯૧ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી ૮૬ વિદ્યાર્થીઓ, ૪ ફેકલ્ટી મેમ્બર્સ અને ૪૧ ઑન એન્ડ ઑફ કેમ્પસ સ્ટાફ છે.
આઇઆઇએમ અમદાવાદના અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે, અત્યાર સુધી કેમ્પસમાં ૧૩૭ કોરોના સંક્રમિત વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે ૫૪ હજુ પણ ક્વોન્ટાઈન હેઠળ છે. આ તમામ લોકો સંસ્થા તરફથી કેમ્પસમાં કરવામાં આવેલા આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા હતા.
આ સાથે જ સંસ્થા તરફથી કેમ્પસમાં જ એક ક્વોન્ટાઈન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓને અલગ-અલગ રાખવામાં આવે છે. ડૉક્ટર્સ અને અમારી ટીમ નિયમિત રીતે આવા લોકોના સ્વાસ્થ્યની દેખરેખ કરી રહી છે, જે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. માર્ચના બીજા સપ્તાહથી આઇઆઇએમ અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. જે બાદ આ આંકડો વધીને ૧૯૧ પર પહોંચી ગયો. છેલ્લા ૨૧૦ દિવસોમાં સંસ્થાએ કોરોના વાઈરસની તપામ સામે રેપિડ એન્ટીજન અને આરટી-પીસીઆરના ૩,૯૦૦થી વધુ ટેસ્ટ કર્યા છે.
Recent Comments