fbpx
રાષ્ટ્રીય

ગેરકાયદેસર સોનાનું ખોદકામઃ ૧૦૦ મજૂરો મૃત્યુ પામ્યા, ૪૦૦ લોકો ૨ મહિનાથી ફસાયા

દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ફસાયેલા ૧૦૦થી વધુ કામદારોના મોત, ખાણમાં ૨ મહિનાથી ૪૦૦થી વધુ કામદારો હાજર હતા. આ તમામ ગેરકાયદેસર રીતે સોનું ખોદવા ખાણમાં પ્રવેશ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણમાં ફસાયેલા ૧૦૦થી વધુ કામદારોના મોત થયા છે. અલ જઝીરાના અહેવાલ મુજબ ખાણમાં બે મહિનાથી ૪૦૦થી વધુ કામદારો હાજર હતા. આ તમામ લોકો ગેરકાયદેસર રીતે સોનું ખોદવા ખાણમાં પ્રવેશ્યા હતા. રાહત અને બચાવ કામગીરી માટે ખાસ માઈનીંગ રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ભૂખ અને તરસને કારણે કામદારોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં ૧૩ મૃતદેહો મળી આવ્યા છે. ઘણા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બચાવાયેલા કામદારો પાસેથી એક સેલફોન મળી આવ્યો હતો, જેમાં ૨ વીડિયો હતા. આ વીડિયોમાં ડઝનેક મૃતદેહો પોલિથીનમાં લપેટાયેલા જાેવા મળે છે. પોલીસે ખાણમાં જતા દોરડા હટાવ્યા હતા.

ખાણોમાં કામ કરતા કામદારો સાથે સંકળાયેલા સામાજિક સંગઠન માઈનિંગ ઈફેક્ટેડ કોમ્યુનિટીઝ યુનાઈટેડ ઈન એક્શન અનુસાર, પોલીસે ગયા વર્ષે નવેમ્બરમાં ગેરકાયદેસર માઈનિંગ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસે આ ખાણને સીલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે કામદારોને બહાર આવવા માટે કહેવામાં આવ્યું હતું. ધરપકડના ડરથી કામદારોએ ખાણમાંથી બહાર આવવાની ના પાડી દીધી હતી. ત્યારથી આ કામદારો ખાણમાં ફસાયા હતા. સ્છઝ્રેંછ અનુસાર, કામદારોએ ના પાડ્યા પછી, પોલીસે ખાણમાં પ્રવેશવા અને બહાર નીકળવા માટે ઉપયોગમાં લેવાતા દોરડા અને પુલીને હટાવી દીધા. આ પછી કામદારો ખાણમાં ફસાયા હતા. સાઉથ આફ્રિકાના અખબાર સન્ડે ટાઈમ્સના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ટીમે એક પાંજરું તૈયાર કર્યું છે, જેને ખાણમાં ૩ કિમી નીચે ઉતારવામાં આવી રહ્યું છે. આ પાંજરાની મદદથી પહેલા બાકીના લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, અમુક જગ્યાએ સોનાના ભંડાર મળ્યા પછી પણ તેના ખાણકામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ માટે સમય, નાણાકીય સંસાધનો અને ઘણા નિષ્ણાતોની જરૂર છે. સોનાના ભંડારના પ્રારંભિક પુરાવા મળ્યા પછી વધુ ખાણકામની સંભાવના ૧% કરતા ઓછી છે. આ જ કારણ છે કે વિશ્વની માત્ર ૧૦% સોનાની ખાણોમાં ખાણકામ માટે પૂરતું સોનું છે. એકવાર એવું નક્કી કરવામાં આવે કે સોનું કાઢવા માટે ખાણકામ કરી શકાય છે, તેના માટે વિગતવાર મોડેલ તૈયાર કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ૧ થી ૧૦ વર્ષનો સમય લાગી શકે છે. એકવાર તે નક્કી થઈ જાય કે ખાણમાં સોનાની ખાણકામ કરી શકાય છે, ખાણને વધુ ખોદકામ માટે વિકસાવવામાં આવે છે. ખાણકામ કંપનીઓ ખોદવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા પરમિટ અને લાઇસન્સ માટે અરજી કરે છે. સામાન્ય રીતે આ સમગ્ર પ્રક્રિયામાં ઘણા વર્ષો લાગી શકે છે.પેપરવર્ક પૂર્ણ થયા પછી, ખાણકામ કંપનીઓ કામદારો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં ૧ થી ૫ વર્ષનો સમય લાગી શકે છે. સોનાની ખાણકામમાં ત્રીજાે તબક્કો સૌથી મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ગોલ્ડ ઓર સાથે જાેવા મળે છે. આ તબક્કામાં સોનાને અયસ્કથી અલગ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત, ખાણકામની કિંમત અને સોનાની શુદ્ધતા જેવા ઘણા પરિબળો તેને અસર કરે છે. ટેકનોલોજીના વિકાસને કારણે ખાણકામની પ્રક્રિયા સરળ બની છે. ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને હવે ખાણો વિકસાવવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ૧૦ થી ૩૦ વર્ષનો સમય લાગી શકે છે. ખાણકામની પ્રક્રિયા પૂરી થયા બાદ કંપનીઓને ખાણ બંધ કરવામાં ૧ થી ૫ વર્ષનો સમય લાગી શકે છે. આ ખૂબ જ મુશ્કેલ પ્રક્રિયા છે. આ સમય દરમિયાન, કંપનીઓ ખાણ બંધ કરે છે, વિસ્તારની સફાઈ કરે છે અને વૃક્ષો વાવે છે. ખાણ બંધ થયા પછી પણ ખાણકામ કરતી કંપનીએ લાંબા સમય સુધી તેની પર નજર રાખવી પડે છે.

Follow Me:

Related Posts