પશ્ચિમ રેલવે દ્વારા નિરીક્ષણ અને સર્વે બાદ પ્રવાસીઓના ઘસારા ને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શનિ – રવિવારની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખી આગામી 30 અને 31 ઓગષ્ટ દરમ્યાન એકતાનગર – પ્રતાપનગર વચ્ચે એક તરફી વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
જે અંતર્ગત આગામી ૩૦ ઓગષ્ટ શનિવાર અને ૩૧ ઓગષ્ટ રવિવારના રોજ એકતાનગર – પ્રતાપનગર વચ્ચે એક તરફી વન-વે મેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09108 એકતાનગર – પ્રતાપનગર મેમુ સ્પેશિયલ ટ્રેનનું એકતાનગર ખાતે સાંજે 7:45 વાગ્યે આગમન થશે. જે ચાંદોદ ખાતે રાત્રે 8:10, ડભોઇ રાત્રે 8:30 અને પ્રતાપનગર ખાતે રાત્રે 9:10 વાગ્યે પહોંચશે. મુસાફરો આ સુવિધાનો વધુ પ્રમાણમાં લાભ લે તેવી રેલવે વિભાગે અપીલ કરી છે.
સપ્તાહના અંતે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય

Recent Comments