ગુજરાત

અમદાવાદમાં સેટેલાઈટ, વેજલપુર, નરોડા, ઓઢવ અને નારોલમાં બનાવોથી ચકચાર મચી

સેટેલાઈટ, વેજલપુર, નરોડા, ઓઢવ અને નારોલમાં આત્મહત્યાના આ બનાવો બન્યા હતા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં પાંચ આપઘાતના બનાવથી ચકચાર મચી છે. જેમાં સેટેલાઈટ, વેજલપુર, નરોડા, ઓઢવ અને નારોલમાં આત્મહત્યાના આ બનાવો બન્યા હતા. પ્રથમ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં રાજીવનગર વિભાગ-૪માં રહેતા કનુભાઈ એચ. મકવાણાએ પોતાના ઘરમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કર્યો હતો. જાેકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી, એમ પોલીસે કહ્યું હતું.

સેટેલાઈટ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. અન્ય બનાવમાં બાપુનગરમાં સરસ્વતીનગર સોસાયટીમાં રહેતા અંકુર વી.ધોલારીયાએ વેજલપુર જીવરાજ પાર્ક સોસાયટી નજીક ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસ વધુ તપાસ કરી રહી છે. તે સિવાય નરોડામાં ગોપીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા મેહુલકુમાર આર.પરમારએ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખા સાથે સાડી લગાવીને જીવન ચુંકાવ્યું હતું. નરોડા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં ઓઢવમાં નાગજીભાઈ રબારીની ચાલીમાં રહેતા શિવકિરણસિંહ કે.રાજપુતએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ઓઢવ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. જ્યારે નારોલમાં શાહવાડી જ્યોતિનગર પાસે ગંગાનગર ખાતે રહેતા સુભાષપ્રસાદ ખરવાલવની સગીર વયની દિકરીએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં છતની એંગલ સાથે દુપટ્ટો લગાવીને જીવન ટુંકાવ્યું હતું. નારોલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

Related Posts