ભાવનગર

કુંઢેલી ગામે વતનપ્રેમી દાતાઓ દ્વારા મુખ્ય ગેટ તેમજ પાણીના પરબનું ભૂમિપૂજન થયું

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે પ્રાથમિક શાળામાં નવા નિર્માણ થયેલ બિલ્ડિંગમાં મુખ્ય ગેટના દાતાશ્રી ગોરધનભાઈ ઓધાભાઈ ગોટી પરિવાર દ્વારા આજે શાળાના ગેઈટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

તેમજ કુરજીભાઈ મોહનભાઈ ગોટી તથા જયસુખભાઈ નથુભાઈ કાળાભાઈ ગોટી પરિવાર દ્વારા નવા સંકુલમાં પાણીના પરબનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત કુંઢેલી ગામના મુખ્ય ગેટનું ખાતમુરત પણ દાતાશ્રી કુરજીભાઈ મોહનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. 

અખાત્રીજના શુભદિને આનંદના આ અવસરે ખાતમુહૂર્ત વિધિમાં સુરતથી દાતા પરિવાર તેમજ ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Related Posts