દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે દેશમાં ઈમરજન્સી માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી દેશભરમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. માર્શલ લોના વિરોધમાં સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. માર્શલ લોના વિરોધમાં સામાન્ય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, ત્યારબાદ સંસદમાં માર્શલ લોને લઈને મતદાન થયું હતું. વોટિંગ દ્વારા, નેશનલ એસેમ્બલીના ૧૯૦ સભ્યોએ માર્શલ લો હટાવવા માટે મત આપ્યો. આ પછી, આ તમામ હોબાળો વચ્ચે આખરે રાષ્ટ્રપતિએ પોતાનો ર્નિણય પાછો ખેંચવો પડ્યો.
રાષ્ટ્રપતિ યૂન સુક-યોલ ર્નિણય પાછો ખેંચવામાં આવ્યો ત્યારથી સમાચારમાં છે, અમને જણાવો કે તેઓ ક્યારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. જેમણે સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. રાજકીય ઉથલપાથલના સમયગાળા દરમિયાન દક્ષિણ કોરિયામાં છેલ્લે ૧૯૮૦માં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે ગ્વાંગજુ બળવો થયો હતો. ૧૯૪૮ થી દક્ષિણ કોરિયામાં એક ડઝનથી વધુ વખત માર્શલ લો લાગુ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ યુન સુક-યોલનો જન્મ ૧૮ ડિસેમ્બર ૧૯૬૦ના રોજ થયો હતો. જેઓ ૨૦૨૨ થી દક્ષિણ કોરિયાના ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેમણે ૨૦૧૯-૨૦૨૧ સુધી દેશના એટર્ની જનરલ તરીકે કામ કર્યું હતું.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે ૨૭ વર્ષ સુધી વકીલ તરીકે કામ કર્યું. યોલે મે ૨૦૨૨ માં ૧% કરતા ઓછા માર્જિન સાથે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એક રિપોર્ટ અનુસાર, લોકોમાં યોલેની લોકપ્રિયતા ઘણી ઓછી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી યોલેનું સમર્થન રેટિંગ માત્ર ૨૦% રહ્યું છે. આ જ કારણ છે કે તેમની પાર્ટી પીપલ્સ પાવર પાર્ટી (ઁઁઁ)ને આ વર્ષે એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષ હવે લગભગ બે તૃતીયાંશ બેઠકો પર કબજાે જમાવી રહ્યો છે. જે બાદ વિપક્ષે એકસદની વિધાનસભા કબજે કરી લીધી હતી.
ચૂંટણીમાં હાર બાદ યોલ દબાણમાં હતા. ડેમોક્રેટિક પાર્ટી તેમની પત્નીના કથિત કૌભાંડોની તપાસ માટે સતત બિલ પસાર કરી રહી હતી. યોલે આ અંગેના બિલ પર વારંવાર વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. ૧૯૮૭ માં દક્ષિણ કોરિયામાં લશ્કરી શાસન પછી, રાષ્ટ્રપતિ યુન સુક-યોલ એવા પ્રથમ રાષ્ટ્રપતિ છે જેમણે સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. યૂને લાંબા સમયથી ઉત્તર કોરિયા પર કડક વલણ અપનાવ્યું છે, જે તેમના પુરોગામી કરતા ઘણું અલગ હોવાનું કહેવાય છે. જૂના રાષ્ટ્રપતિ હંમેશા વાતચીત અને શાંતિપૂર્ણ રીતે મામલો ઉકેલતા હતા. યોલના આ વલણને કારણે સામાન્ય લોકોમાં તેમના પ્રત્યે વિરોધ થઈ રહ્યો છે.
Recent Comments