ભાવનગર

શિશુવિહાર માં બુધસભા ની ૨૩૨૫  મી બેઠક માં કવિ શ્રી ડોક્ટર નટુભાઈ પંડ્યા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

ભાવનગર શિશુવિહાર સંસ્થાન માં ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૨૫  મી બેઠક  તારીખ ૦૫  ફેબ્રુઆરી ૨૦૨૫ સાંજે ૬-૧૫ કલાકે શિશુવિહાર પરિસરમાં ડૉ.માનસી ત્રિવેદીના સંચાલનમાં યોજાશે કવિતા આસ્વાદ સાથે બુધ સભાની  વર્ષ ૧૯૮૦ ની પ્રથમ બેઠકથી વર્ષ ૨૦૨૫  ની ૨૩૨૪ મી બેઠક સુધી નિરંતર બની રહી. સૌના વડીલ અને માર્ગદર્શક  કવિ શ્રી ડોક્ટર નટુભાઈ પંડ્યા ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. કવિ ડોક્ટર વિનોદભાઈ જોશી ડોક્ટર પથિકભાઈ પરમાર સાહિત્ય પરિષદના સદસ્ય શ્રી દાન વાઘેલા અને ગણ માન્ય કવિઓની શ્રદ્ધાંજલિ સાથે યોજનાર બેઠકમાં  રસ ધરાવતા ભાવકો અને સાહિત્ય પ્રેમીઓને પધારવા ભાવભર્યું આમંત્રણ છે….

Related Posts