શનિવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન હિંડોનથી ૧૫ ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. આ રાહત સામગ્રી ભારતીય વાયુસેનાના વિમાન ઝ્ર ૧૩૦ ત્ન દ્વારા મ્યાનમાર પહોંચાડાઈ હતી. રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, વૉટર પ્યૂરીફાયર, સફાઈ કીટ, સૌર લેમ્પ, જનરેટર સેટ, આવશ્યક દવાઓ (પેરાસીટામોલ, એન્ટિબાયોટિક્સ, કેન્યુલા, સિરીંજ, મોજા, કોટન બેન્ડેજ, પેશાબની થેલીઓ વગેરે)નો સમાવેશ થાય છે.
શુક્રવારે આવેલ વિનાશકારી ભૂકંપે પાંચ દેશોને હચમચાવી નાખ્યા છે. મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપના આંચકાએ બાંગ્લાદેશ અને ચીનના કેટલાક ભાગોને પણ હચમચાવી નાખ્યા છે. જ્યારે ભારતના મેઘાલય, દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભારત એલર્ટ થઈ જતાં ભૂકંપગ્રસ્ત દેશો માટે તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો હતો.
ભારતે ભૂકંપ પીડિત મ્યાનમાર માટે મદદ સ્વરૂપે ૧૫ ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી

Recent Comments