પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં નશાના વિકારો અને ગેરકાયદેસર તસ્કરીના નુકસાન વિશે જાગૃતિ મળી શકે.
કાર્યક્રમની શરૂઆતમાં વર્ગ ૯-અની વિદ્યાર્થીનીઓ સાનિકા અને સોનમ દ્વારા સરળ અને અસરકારક ભાષામાં પ્રેરણાદાયી ભાષણ રજૂ કરાયું, જેમાં નશાની અસર અને તેને ટાળવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જે બાદ વૈષ્ણવી દ્વારા એક સુંદર શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
અંતે વર્ગ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ દ્વારા નશાબંધી અને ચરસ-તસ્કરી અંગે જાગૃતિ ફેલાવતાં પોસ્ટરો અને નારાઓનું નિર્માણ કરવામાં આવ્યું. આ પોસ્ટરોમાં વિચારોની સ્પષ્ટતા જાેવા મળતી હતી.
વિદ્યાલયના આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નશાના દોષથી દૂર રહેવાની પ્રેરણા મળી અને સમાજ પ્રત્યે સકારાત્મક યોગદાન આપવા માટે પ્રેરણા મળી હતી. પી એમ શ્રી કે વી અમદાવાદ કેન્ટ તરફથી ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી.
પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાાલય, અમદાવાદ કેન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય નશાબંધી અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસની ઉજવણી

Recent Comments