ભાવનગર

તમે તમારા ડોકટર બનો થીમ પર વિશ્વ મહિલા દિન પ્રાકૃતિક ચિકિત્સા સેમિનાર

ભાવનગર શિશુવિહાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતગર્ત ‘ તમે જ તમારા ડૉક્ટર બનો ‘ થીમ પર તા. ૮ માર્ચ શનિવાર ના રોજ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ શિશુવિહાર સંસ્થા માં પ્રાકૃતિક ચિકિત્સા સેમિનાર યોજાશે…જેમાં ડૉ.મિલન ભાઈ દવે , ડૉ. વીણા બહેન ગોહિલ, ડૉ.નિશા બહેન જોષી તથા ડૉ.નીલમ બહેન માંડલિયા દ્વારા આરોગ્ય ને લગતા કોઈપણ પ્રકાર ના મૂંઝવતા પ્રશ્નો ના પ્રાકૃતિક  ઉપચાર દ્વારા ઉપાય તેમજ દરેક પ્રકાર ની બીમારીઓની સારસંભાળ કેવી રીતે રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે..  સ વિશેષબહેનો માટે ગૃહ ઉધોગ વસ્તુ નું વેચાણ અને પ્રદર્શન રાખવામાં આવેલ છે.. જેમાં ભાવનગર ના નાગરીકો ને ઉપસ્થિત રહેવા અખબારી યાદી માં જણાવ્યું છે…

Related Posts