ભાવનગર

ભાવનગર જિલ્લાના અમૃત સરોવરો ખાતે ‘આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી

૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે સમગ્ર જિલ્લામાં
ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે આઝાદીના અમૃત મહોત્સવ
અંતર્ગત સમગ્ર દેશમાં ‘અમૃત સરોવર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાં ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની
કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરુપે ભાવનગર જિલ્લાના જાંબુડા, ઓથા, ગોરીયાળી,
અવાણિયાં, ગોરખી, મેસણકા, દડવા, દરેડ, કાનાતળાવ, વળાવડ, રોયલ, ભંડારિયા, જુના રતનપર, સેંજળીયા, કુડા,
જેસર, ઘાંઘળી, ઠાડચ, પરવડી – ૨, પરવડી, ઉમરાળા, લીંબડા અમૃત સરોવર ખાતે યોગ શિબિર યોજાઈ હતી.

Related Posts