રાષ્ટ્રીય

અમેરિકી હુમલા બાદ ઈરાન: પરમાણુ નિરીક્ષકોની સુરક્ષાની ગેરંટી આપી શકતું નથી

સોમવારે ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (ૈંછઈછ) ના નિરીક્ષકોની સુરક્ષાની ખાતરી આપી શકાતી નથી. ઈરાનમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા અસરગ્રસ્ત પરમાણુ સ્થળોની મુલાકાત લેવાની યુએન પરમાણુ નિરીક્ષકની વિનંતીને નકારી કાઢવામાં આવ્યાના થોડા દિવસો પછી આ વિકાસ થયો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઇએ કહ્યું છે કે પરમાણુ નિરીક્ષક સાથે “સામાન્ય” સહયોગ ચાલુ રાખી શકાય નહીં.
યુએન પરમાણુ નિરીક્ષક સંસ્થાના વડા રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે ઈરાન મહિનાઓમાં યુરેનિયમ સંવર્ધન ફરી શરૂ કરી શકે છે, કારણ કે યુએસ હુમલાઓથી ઈરાનની પરમાણુ સ્થાપના સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ નથી.
૧૩ જૂનના રોજ ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની શરૂઆતથી ઈરાન અને ૈંછઈછ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. ઈરાનના પરમાણુ માળખા પર ઇઝરાયલી અને અમેરિકન હુમલાઓની નિંદા કરવામાં “નિષ્ફળતા” બદલ તેહરાને યુએન પરમાણુ નિરીક્ષક સંસ્થાની ટીકા કરી હતી.
ઇઝરાયલી અને અમેરિકન હુમલાઓથી પ્રભાવિત પરમાણુ સ્થળોની મુલાકાત લેવાની ગ્રોસીની વિનંતીને પણ ઈરાને નકારી કાઢી હતી, અને આરોપ લગાવ્યો હતો કે માંગ “દુષ્ટ ઈરાદા” દર્શાવે છે.
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ આરોપ લગાવ્યો હતો કે ગ્રોસીએ એજન્સીની ચિંતાઓને સંબોધવાના ઈરાનના પ્રયાસોને “અસ્પષ્ટ” કરીને “… ગેરકાયદેસર ઇઝરાયલી અને યુએસ બોમ્બ ધડાકાને સીધી રીતે સરળ બનાવ્યા” હતા.
“સુરક્ષાના બહાના હેઠળ બોમ્બમારાવાળા સ્થળોની મુલાકાત લેવાનો ગ્રોસીનો આગ્રહ અર્થહીન છે અને સંભવત: ઈરાદાપૂર્વક ખરાબ પણ છે,” અરાઘચીએ કહ્યું હતું.
દરમિયાન, પરમાણુ નિરીક્ષક એજન્સી ઈરાનના સુવિધાઓ પરના હુમલાઓની ચર્ચા કરવા માટે એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક યોજી રહી છે.
અમેરિકા, ઇઝરાયલના પરમાણુ સ્થળો પર હુમલા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ ૧૩ જૂને શરૂ થયો હતો, જેમાં ઇઝરાયલી સૈન્યએ મુખ્ય પરમાણુ સ્થળો પર હુમલો કર્યો હતો અને તેના ઘણા ટોચના લશ્કરી નેતાઓની હત્યા કરી હતી, જેમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના વડા, હુસૈન સલામીનો સમાવેશ થાય છે.
સંઘર્ષ શરૂ થયા પછી, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સૌપ્રથમ કહ્યું હતું કે અમેરિકન સૈન્ય દખલ કરશે કે નહીં તે નક્કી કરવામાં વધારાનો સમય લાગશે. જાે કે, એક આશ્ચર્યજનક પગલામાં, યુએસ સૈન્યએ ઈરાનમાં ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો – ફોર્ડો, નતાન્ઝ અને એસ્ફહાન પર હુમલો કર્યો.
૨૩ જૂનના રોજ, ટ્રમ્પે જાહેરાત કરી કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ ગઈ છે.

Related Posts