જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળથી સાત રસ્તા તરફ જવા માટેનો નવો રોડ બનવાની કામગીરીના ભાગરૂપે જૂની આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ, કે જેને તોડી પાડવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી હતી, અને જેસીબી-હિટાચી મશીનો વગેરેની મદદથી જુનું આરટીઓ કચેરી વાળું બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવી રહયું છે.
હવે થોડાજ દિવસોમાં અન્ય સરકારી કચેરીઓને પણ તોડી પાડવામાં આવશે અને ત્યાંથી નવો રોડ તૈયાર કરાશે. જેથી તળાવની પાળેથી સીધા સાત રસ્તા સર્કલમાં પહોંચી શકાશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા જૂની આરટીઓ કચેરીનું બિલ્ડીંગ નવો રોડ બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું














Recent Comments