અમરેલી જિલ્લામાં આગામી તા.૦૭ માર્ચ, ૨૦૨૫ના રોજ ‘જન ઔષધિ દિવસ’ની ઉજવણી થશે.’પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના’ અંતર્ગત જન ઔષધિ કેન્દ્ર ઉપર ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ લોકોને પોસાઇ તેવા ભાવે પૂરી પાડીને લોકોના જીવન પર નોંધપાત્ર અસર કરી શકે છે.આ કેન્દ્રોમાં આપવામાં આવતી દવાઓ બહાર મળતી દવાઓ કરતાં ૫૦% સુધી ઓછા ભાવમાં ઉપલબ્ધ હોય છે અને કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની કિંમત સરેરાશ બજાર કિંમત કરતા ૮૦ થી ૯૦ ટકા જેટલી સસ્તી હોય છે.
વડાપ્રધાનશ્રીની પહેલ પર જેનેરિક દવાઓના વિતરણ અને દવાઓની ઉપલબ્ધતા વિશે જન સમુદાયમાં જાગૃત્તિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તા.૦૭ માર્ચના રોજ ‘જન ઔષધિ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.અમરેલી જિલ્લામાં તા.૦૭ માર્ચ, ૨૦૨૪ને શુક્રવારના રોજ અધિકારીશ્રીઓ, જનપ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી થશે. જન ઔષધિ વિશે લોકો વધુને વધુ જાગૃત્તિ કેળવે અને આવશ્યકતા થાય ત્યારે અન્ય દવાઓ કરતા જેનેરિક દવાઓનો ઉપયોગ કરે તે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે, તેમ અમેરલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments