અમરેલી

દામનગર અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર પ્રસાદ ઘર ની મુલાકાતે આશીર્વાદ માનવ મંદિર ના જેરામ ભગત પધાર્યા

દામનગર શહેર માં અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર ના પ્રસાદ ઘર ની મુલાકાતે પધારતા આશીર્વાદ માનવ મંદિર સુરત ના જેરામ ભગત નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરતા સમસ્ત અનસૂયા પરિવાર ની પ્રવૃત્તિ નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કરતા આશીર્વાદ માનવ મંદિર ના મોભી અત્રે ઉલ્લેખનીય સુરત ની ખૂબ સુરતી માટે નમૂના રૂપ આશીર્વાદ માનવ મંદિર ની સેવા થી સમગ્ર શહેર ને ભિક્ષુક મુક્ત બનાવતી વ્યવસ્થા અતિ ગંભીર મનોદિવ્યાગ આક્રમક તામસ ઉન્મત્ત વ્યક્તિ ઓને માનવ સમાજ માં પુનઃ સ્થાપન નું કપરું કાર્ય કરતી માનવ સેવા થી દેશ દેશાવર માં અત્યાર સુધી માં ૨૫૦૦ થી વધુ વ્યક્તિ ઓને કુદરત સહજ જીવન પ્રદાન કરાવી ચૂકેલ સંસ્થાન આશીર્વાદ માનવ મંદિર કામરેજ સુરત ધોરણ પારડી ના મોભી એ આજે અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર ના પ્રત્યેક્ષ દર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

Related Posts