fbpx
અમરેલી

કાણકિયા કોલેજના એન.એસ. એસ. યુનિટ વાર્ષિક શિબિર નો ઉદ્ઘાટન સમારોહ ધજડીપરા મુકામે સંપન્ન થયો

નૂતન કેળવણી મંડળ સંચાલિત વી. ડી.કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનું તારીખ ૧૯-૨-૨૦૨૫ ના રોજ સાવરકુંડલા તાલુકાના ધજડીપરા ગામે બોઘરિયાણી ખોડીયાર મંદિર ખાતે ઉદઘાટન થયું. કાણકિયા કોલેજ NSS  યુનિટ અને બોઘરીયાણી ખોડીયાર માતાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શિબિરનું ઉદ્ઘાટન ખોડિયાર મંદિર ટ્રસ્ટ, ધજડીપરાના પ્રમુખ ગુણવંતભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતામાં ખોડિયાર મંદિરના મહંત પૂજ્ય મહેશ દાસજી બાપુ ના આશીર્વાદ તથા સૌરાષ્ટ્ર યુનિ. એન.એસ.એસ.વિભાગના કો-ઓર્ડીનેટર ડૉ. એન.કે ડોબરીયા  ના શુભ સંદેશ સાથે કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી,અતિથિ વિશેષ તરીકે ધજડી ગામના સરપંચ ભરતભાઈ ધડૂક ઉપસરપંચ મહેશભાઈ રાદડિયા,શાળાના આચાર્ય ભીખુભાઈ આજુગિયા, નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટી વિનુભાઈ રાવલ, પુણ્યશ્લોક લલ્લુભાઈ શેઠ ના સુપુત્ર ડોક્ટર દીપકભાઈ શેઠ, સાવરકુંડલા નાગરિક બેંકના ચેરમેન તથા હોમગાર્ડ  કમાન્ડર અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, ઉપરાંત સામાજિક અગ્રણીઓ પ્રતિકભાઇ નાકરાણી, હેમાંગભાઈ ગઢીયા,લાલાભાઇ ગોહિલ,વિપુલભાઈ સોજીત્રા, વિનુભાઈ બુહા, શૈલેષભાઈ સાવલિયા,અમરસિંહભાઈ રાઠોડ તેમજ ધજડીપરાના ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. શિબિરાર્થીઓ દ્વારા સર્વધર્મ સમૂહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.

ધજડી પરા પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજુગિયા સહકારથી શાળાના શિક્ષિકા જાગૃતિબેન બોરીસાગર દ્વારા તૈયાર કરાવવામાં આવેલ સ્વાગત ગીત ની શાળાની બાલિકાઓએ સુંદર પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રવિયા દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને ગાંધી વિચાર સાથે સંકળાયેલા NSS ની અગત્ય અને સર્વગ્રાહીતા અંગે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો એ પોતાના પ્રાસંગિક ઉદબોધન માં શિબિરાર્થીઓને જીવન પ્રેરક બની રહે એવી બાબતો ને વણી લીધી હતી.ગુણવંતભાઈ ત્રિવેદીએ પ્રેરક જીવનલક્ષી અધ્યક્ષીય ઉદબોધન આપ્યું હતું.  સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર  ડો.આશિષભાઈ ચૌહાણે કર્યું હતું. આભાર દર્શન કોલેજ ના વાઇસ પ્રિન્સિપાલ પ્રો.રીન્કુબેન ચૌધરી કરેલ. આભાર દર્શન બાદ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. સાત દિવસની આ શિબિરમાં શિબિરાર્થીઓ દ્વારા પ્રભાતફેરી, ગ્રામ સફાઈ, જન જાગૃતિ, હેલ્થ અવેરનેસ, વ્યસન મુક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રકૃતિ અને પર્યાવરણ સુરક્ષા તથા બેટી બચાવો જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts