સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા
દ્વારા ગુજરાત સરકાર માં રજૂઆત કરી ને લિલીયા અને પૂંજાપાદર ગામ વચ્ચેના
વર્ષો જૂના બ્રિજના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે, ગુજરાત સરકાર દ્વારા કુલ ₹૧૫
કરોડના વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં લિલીયા-પૂંજાપાદર બ્રિજ
અને સી.સી. રોડ: ₹૧૨ કરોડના ખર્ચે લિલીયા અને પુંજાપાદર ગામને જોડતો એક
અત્યાધુનિક બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત, બજાર વિસ્તારમાં પણ રોડનું
નિર્માણ કરવામાં આવશે, જે અવરજવરને વધુ સુગમ બનાવશે.₹૩ કરોડના ખર્ચે
લિલીયા-પુંજાપાદર-ભેંસવડી અને પુંજાપાદર-આંબા જંકશન પર ટ્રાઈએંગલ બ્રિજનું
નિર્માણ થશે.જેમા બોક્સ કલ્વટ અને માઈનોર બ્રીજ બનશે .આ બ્રિજ ટ્રાફિકની
સમસ્યા હલ કરશે અને પ્રવાસને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. આ
વિકાસકાર્યોથી સ્થાનિક લોકોના જીવનધોરણમાં સુધારો થશે અને આર્થિક
ગતિવિધિઓને પણ વેગ મળશે. લિલીયા અને પૂંજાપાદરના વિકાસ માટે આ ₹૧૫
કરોડની ફાળવણી બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રપટેલ સાહેબનો
સાવરકુંડલા – લીલીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ આભાર
માન્યો હતો તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી
યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments