અમરેલી

બી.આર.સી ભવન અમરેલી ખાતે જ્ઞાન સહાયક સ્થળ પસંદગી કેમ્પનું આયોજન : કુલ ૪૩૩ જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂક

આજરોજ બી.આર.સી ભવન અમરેલી ખાતે જ્ઞાન સહાયક સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૩૩ જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણૂક આપવામાં આવી છે.

આ કેમ્પમાં શિક્ષણ સમિતિ અમરેલીના ચેરપર્સનશ્રી મતી રમીલાબેન ધોરાજીયા, પૂર્વ પ્રમુખ લીલીયા તાલુકા પંચાયતશ્રી ભીખાભાઈ ધોરાજીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મિયાણી, પ્રાથમિક શૈક્ષિક સંઘ અમરેલી પ્રમુખશ્રી વિજયભાઈ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મંત્રી અમરેલી શ્રી રસિકભાઈ મહેતા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, શિક્ષણ શાખા જિલ્લા પંચાયત અમરેલીનો તમામ સ્ટાફ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts