અમરેલી તા.૯ ડિસેમ્બર, ૨૦૨૪ (સોમવાર) લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે.તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૦૩ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મોકલવી.અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું.
તા.૨૪ ડિસેમ્બરે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણકાર્યક્રમ યોજાશે : તા.૧૬ ડિસેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

Recent Comments