અમરેલી

તા.૨૩ એપ્રિલે યોજાશે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ: તા.૧૫ એપ્રિલ સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

અમરેલી તા.૯ એપ્રિલ૨૦૨૫ (બુધવાર) લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ એપ્રિલ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે.

તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોયતે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ બપોરે ૦૩ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ મારફતે મોકલવી.

અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવુંતેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે

Related Posts