અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે ૮૩ મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ ૧૨૬ દર્દીઓએ લાભ લીધો.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૮૩મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૧૯-૦૨-૨૦૨૫ ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું. નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દીપપ્રાગટ્ય શ્રી ગોપાલભાઇ ચુડાસમા અને લાયન મનોજભાઈ  કાનાણી દ્વારા કરવામાં આવેલ હતું અને તે કેમ્પને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટર ડૉ. દર્શિતભાઈ ગોસાઇ દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની પત્રિકાનું પણ આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૨૬ દર્દીઓએ લાભ લીધો હતો અને ૪૫ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ૩૦ વ્યક્તિઓને ચશ્મા વિતરણ પણ કરવામાં આવેલ હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન મનોજભાઈ કાનાણી, લાયન એમ.એમ.પટેલ, લાયન દિનેશભાઈ સોરઠીયા, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન સાહસ ઉપાઘ્યાય તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. દર્શિતભાઈ ગોસાઇ, શ્રી કિર્તિભાઈ ભટ્ટ, શ્રી નિલેશભાઈ ભીલ વગેરે અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ પારેખ, અનિલભાઈ પારેખ, ટ્રસ્ટી શ્રી અમરશીભાઈ પરમાર, જીતુભાઈ નિમાવત, સંચાલકશ્રી ગોપાલભાઈ ચુડાસમા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન રૂજુલભાઈ ગોંડલીયાની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts