અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે 83 મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન

રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા
ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી
83 મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. 19-03-2025 ને બુધવારે આયોજન
કરવામાં આવેલ હતું. નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દીપપ્રાગટ્ય ભૂરખિયા હનુમાન સંચાલક શ્રી, લાયન્સ ક્લબ ઓફ
અમરેલી સિટીના સભ્યો અને સુદર્શન નેત્રાલય દ્રારા કરવામાં આવેલ હતું
આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટર ડૉ. કાનન સેદાની દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને
મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની પત્રિકાનું પણ
આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં 176 દર્દીઓએ લાભ લીધો હતો અને ૬૧ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું
જ્યારે વેલ માટે 3 લોકો ને લાઈજવા માં આવેલ . જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ૧૬ વ્યક્તિઓને ચશ્મા વિતરણ
પણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન ઋજુલભાઈ
ગોંડલીયા,લાયન સાહસભાઈ ઉપાધ્યાય તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. કાનન સેદાની, શ્રી નિલેશભાઈ ભીલ, બહાદુરભાઈ ભટ્ટ
વગેરે અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ પારેખ, અનિલભાઈ પારેખ, સંચાલકશ્રી ગોપાલભાઈ ચુડાસમા
વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન મનોજભાઈ કાનાણીની યાદી જણાવે છે.

Related Posts