પોન્ટૂન પુલ અને ભીડ વ્યવસ્થાપન માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભનું સમાપન હવે નજીક છે. આજે મહાશિવરાત્રીના દિવસે મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક તંત્ર ને વધુ એલર્ટ મોડ પર કામ કરવા માટે સજ્જ કરવામાં આવ્યું છે. ૨૫ ફેબ્રુઆરીથી મેળા વિસ્તાર અને શહેરમાં નો-વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવ્યો છે. ઉપરાંત, સમગ્ર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રનો અંદાજ છે કે મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવમાં ૩ કરોડથી વધુ ભક્તો સંગમના દર્શન કરશે.
મહાશિવરાત્રીના મહાકુંભના છેલ્લા સ્નાન ને ધ્યાને લઈને મેળા પોલીસના જણાવ્યા અનુસાર, તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૪ઃ૦૦ વાગ્યાથી મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પ્રયાગરાજ કમિશનરેટને સાંજે ૬ઃ૦૦ વાગ્યાથી નો-વ્હીકલ ઝોન બનાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યવસ્થા જાળવવામાં દરેકને મદદ કરવા વિનંતી કરવામાં આવી છે. ભીડનું સરળ સંચાલન જાળવવા માટે. દરેકને પ્રવેશદ્વારની નજીકના ઘાટ પર જ સ્નાન કરવાની અપીલ કરવામાં આવી છે.
દવાઓ દૂધ શાકભાજી એમ્બ્યુલન્સ જેવી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા વાહનો અને સરકારી કર્મચારીઓ (ડોક્ટર, પોલીસ, વહીવટીતંત્ર) ના વાહનો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. મહા કુંભ ઉત્સવ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ મહા શિવરાત્રી સાથે સમાપ્ત થશે. ભક્તોને નજીકના ઘાટ પર ઝડપથી સ્નાન કરવા. શિવ મંદિરમાં દર્શન કરવા અને પછી તેમના ગંતવ્ય સ્થાન તરફ જવા વિનંતી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું હતું કે, બધા પોન્ટૂન પુલ ભીડના દબાણ અનુસાર ચલાવવામાં આવશે. ભક્તોને અપીલ કરવામાં આવી છે કે બધા ઘાટ સંગમ જેવા જ ઓળખાય છે, તેથી ભક્તોએ નજીકના ઘાટ પર સ્નાન કરવું જાેઈએ અને ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપનમાં સહયોગ કરવો જાેઈએ.
તેમજ મહાકુંભ પ્રશાસને ચારેય દિશાઓથી આવતા ભક્તોની સંખ્યાના આધારે સ્નાન યોજના બનાવી છે. દક્ષિણ ઝુસીથી આવતા ભક્તો સંગમ દ્વાર ઐરાવત ઘાટ પર સ્નાન કરી શકશે. ઉત્તર ઝુસીથી આવતા ભક્તો સંગમ હરિશ્ચંદ્ર ઘાટ અને સંગમ ઓલ્ડ જીટી ઘાટ પર સ્નાન કરશે. તેવી જ રીતે, પરેડથી આવતા ભક્તો સંગમ દ્વાર ભારદ્વાજ ઘાટ પર સ્નાન કરી શકશે. સંગમ ગેટથી આવનારાઓ નાગવાસુકી ઘાટ, સંગમ ગેટ મોરી ઘાટ, સંગમ ગેટ કાલી ઘાટ,સંગમ ગેટ રામ ઘાટ, સંગમ ગેટ હનુમાન ઘાટ પર સ્નાન કરશે. અરૈલથી આવતા ભક્તો સંગમ દ્વાર અરૈલ ઘાટ પર સ્નાન કરશે.
Recent Comments