સાવરકુંડલા શહેરમાં રવિવાર, તારીખ ૦૨/૧૧/૨૦૨૫ ના રોજ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, નદી કાંઠે, કે.કે. હાઈસ્કૂલ પાછળ ખાતે ભવ્ય અને દિવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગોપી મહિલા મંડળ અને સમસ્ત કેવડા પરા દ્વારા આયોજિત આ માંગલિક પ્રસંગે તમામ નગરજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખા (રવિવાર, તા. ૦૨/૧૧/૨૦૨૫)
આ પવિત્ર દિવસે માતા તુલસીજી અને ઠાકોરજી (શાલીગ્રામ) ભગવાનના દિવ્ય વિવાહ પ્રસંગની સાથે-સાથે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે: સાંજે ૬:૩૦ કલાકથી: ભવ્ય લોક ડાયરો સાંજે ૭:૦૦ કલાકથી: મેગા બ્લડ ડોનેશન કેમ્પ (ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી) સાથે સાથે સાંજે ૭:૦૦ કલાકથી: ચક્ષુદાન, દેહદાન, અંગદાન સંકલ્પ પત્ર વ્યવસ્થા ત્યારબાદ સાંજે ૭:૩૦ કલાકથી: ઠાકોરજીનો દિવ્ય ભોજન પ્રસાદ તેમજ રાત્રે ૮:૦૦ વાગે: તુલસી વિવાહની માંગલિક વિધિ (લગ્ન વિધિ) યોજાશે
શ્રી પરમ પૂજ્ય મસાપીર બાપુ, મોમાઈ માતાજી મંદિર, નાના ઝીંઝુડા તરફથી સમગ્ર કાર્યક્રમના ભોજન પ્રસાદનું દાન કરવામાં આવ્યું છે. તેમણે સમસ્ત સાવરકુંડલા નગરજનોને વિશેષ આગ્રહ કર્યો છે કે, આ પાવન દિવસે સૌ કોઈ પોતાના નિવાસસ્થાને રસોઈ બનાવવાનું ટાળીને, સાંજે ૭:૩૦ કલાકથી ઠાકોરજીની દિવ્ય પ્રસાદીનો લાભ લેવા સપરિવાર અવશ્ય પધારે. ભોજન પ્રસાદની સેવામાં મુરલીધર કેટરર્સ ઘનશ્યામભાઈ લાંબડીયા તત્પર રહેશે.
ધાર્મિક ઉત્સવની સાથે-સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સાવરકુંડલા બ્રાન્ચના શ્રી મેહુલ વ્યાસના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વળી, ચક્ષુદાન, દેહદાન અને અંગદાન જેવા મહાદાન માટે સંકલ્પ પત્ર ભરવાની વ્યવસ્થા પણ સ્થળ પર ઉપલબ્ધ રહેશે, જે સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સૌ ધર્મપ્રેમી નાગરિકોને ધર્મોત્સવ અને માનવતાના આ ઉમદા કાર્યમાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, નદી કાંઠે, કે.કે. હાઈસ્કૂલ પાછળ, સાવરકુંડલા. યોજવામાં આવશે આ કાર્યક્રમનું આયોજક ગોપી મહિલા મંડળ તેમજ સમસ્ત કેવડા પરા, સાવરકુંડલા.છે વધુ માહિતી માટે સંપર્ક: શ્રી સતીશ પાંડે, મો. ૯૯૭૯૭ ૪૧૦૬૧.


















Recent Comments