અમરેલી

મેરા ભારત, યુવા ભારત : નાગરિક સંરક્ષણ માટે યુવાઓ સ્વંયસેવક બનવા માટે આગળ આવી અને નોંધણી કરાવે

દેશભરના યુવાનોને માય ભારત પોર્ટલ નાગરિક સંરક્ષણ સ્વંય સેવક તરીકે નોંધણી કરાવવા માટે પ્રેરણા આપે છે. આ રાષ્ટ્રવ્યાપી આહ્વાન યુવા નાગરિકોને રાષ્ટ્રીય હેતુ અર્થે મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવવા માટે સશક્ત બનાવવાના એક સંકલિત પ્રયાસનો ભાગ છે.

ખાસ કરીને કટોકટી દરમિયાન આ પહેલનો ઉદ્દેશ એક સારી રીતે પ્રશિક્ષિત, પ્રતિભાવશીલ અને સ્થિતિ સ્થાપક સ્વંયસેવક દળ બનાવવાનો છે જે કુદરતી આફતો, અકસ્માતો, જાહેર કટોકટી અને અન્ય અણધારી પરિસ્થિતિમાં નાગરિક વહીવટને પૂરક બનાવી શકે. 

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક મજબૂત સમુદાય આધારિત પ્રતિભાવ પદ્ધતિ સ્થાપિત કરવાની તાત્કાલિક અને વધતી જતી જરુરિયાત છે. નાગરિક સંરક્ષણ સ્વંય સેવકો વિવિધ સેવાઓ દ્વારા સ્થાનિક અધિકારીશ્રીઓને ટેકો આપીને આ સંદર્ભમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં બચાવ અને સ્થળાંતર કામગીરી, પ્રાથમિક સારવાર, કટોકટી સંભાળ, ટ્રાફિક વ્યવસ્થાપન, ભીડ નિયંત્રણ, જાહેર સલામતી અને આપત્તિ પ્રતિભાવ, પુનર્વસન પ્રયાસોમાં સહાય સામેલ છે. તૈયાર અને પ્રશિક્ષિત નાગરિક દળનું મહત્વ પહેલા કરતાં વધુ છે. માય ભારત આ રાષ્ટ્રીય મિશનમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

માય ભારત પોર્ટલ તેના યુવા સ્વંયસેવકોના ગતિશીલ નેટવર્ક અને અન્ય તમામ ઉત્સાહી યુવા નાગરિકોને આગળ આવવા અને માય ભારત નાગરિક સંરક્ષણ સ્વંયસેવકો તરીકે નોંધણી કરાવવા અપીલ કરે છે.

સૌ યુવાઓને માય ભારત https://mybharat.gov.in પોર્ટલ પર નાગરિક સંરક્ષણ સ્વંયસેવકો તરીકે નોંધણી કરાવવા માટે માય ભારત-અમરેલી જિલ્લા યુવા અધિકારી શ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts