મડાગાસ્કરના સશસ્ત્ર દળોના મંત્રી સાથેની વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ વધારવાના માર્ગો પર ચર્ચા કરી
સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી સંજય સેઠ ૨૫ થી ૨૭ જૂન ૨૦૨૫ દરમિયાન મડાગાસ્કરના અંતાનાનારીવોની સત્તાવાર મુલાકાતે એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, સંરક્ષણ રાજ્યમંત્રીએ મડાગાસ્કરના સ્વતંત્રતા દિવસની ૬૫મી વર્ષગાંઠ અને માલાગાસી સશસ્ત્ર દળોની રચનાની ઉજવણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
શ્રી સંજય સેઠે મડાગાસ્કરના સશસ્ત્ર દળોના મંત્રી લેફ્ટનન્ટ જનરલ સાહિવેલો લાલા મોન્જા ડેલ્ફિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ વધારવાના માર્ગો પર ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં ચર્ચા કરી હતી. તેમણે મડાગાસ્કરના પ્રધાનમંત્રી શ્રી ક્રિશ્ચિયન એનત્સેને પણ મળ્યા હતા અને મડાગાસ્કરની સ્વતંત્રતાની ૬૫મી વર્ષગાંઠ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
રક્ષા રાજ્યમંત્રીએ અંતાનાનારીવોમાં દૂતાવાસ દ્વારા આયોજિત ભારતીય સમુદાય સ્વાગત સમારોહમાં પણ હાજરી આપી હતી. તેમણે મડાગાસ્કરમાં ભારતીય ડાયસ્પોરાને ભારતમાં તાજેતરના વિકાસ અને પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ હાલમાં ચાલી રહેલા આર્થિક પરિવર્તન વિશે માહિતી આપી હતી.
નજીકના પડોશીઓ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સાથી વિકાસશીલ દેશો તરીકે, ભારત અને મડાગાસ્કર લાંબા સમયથી મિત્રતા અને લોકો-થી-લોકોના સંબંધો ધરાવે છે. ભારત મડાગાસ્કરની વિકાસ યાત્રામાં એક વિશ્વસનીય અને પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે ચાલુ રહેશે. રક્ષા રાજ્યમંત્રીની મુલાકાતે ર્ંઝ્રઈછદ્ગ (પ્રદેશમાં સુરક્ષા અને વિકાસ માટે પારસ્પરિક અને સર્વાંગી પ્રગતિ)ના વિઝનને અનુરૂપ મડાગાસ્કર સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ભારતની ઇચ્છાની પુન:પુષ્ટિ આપી હતી.
Recent Comments