ભાવનગર

મંત્રીશ્રીઓ અને જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે

માહિતી બ્યુરો, ભાવનગર
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૬ થી ૨૮ મી જૂન
દરમિયાન ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. જેમાં ૮૪ રૂટ દ્વારા ૧૦૯૭
શાળાઓમાં બાલવાટીકામાં ૧૮,૫૮૮, ધોરણ-૧ માં ૧૯,૨૮૧ બાળકોનું નામાંકન કરાશે. ધો. ૮ માંથી ધો. ૯ માં
૧૨,૪૧૫ અને ધો.૧૧ માં ૫,૮૮૪ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જ્યારે ૬૫૩૧ ભૂલકાઓ આંગણવાડીઓમાં પ્રવેશ
મેળવશે.
પ્રવેશોત્સવના અંદાજીત રૂટમાં ભાવનગર તાલુકામાં-૦૭, ગારીયાધરમાં-૦૬, ઘોઘામાં-૦૬, જેસરમાં-૦૪, મહુવામાં-
૧૧, પાલીતાણામાં-૧૨, શિહોરમાં-૧૧, તળાજામાં-૧૫, ઉમરાળામાં-૦૫ અને વલ્લભીપુરમાં-૦૭ સહિત કુલ-૮૪ રૂટનો
સમાવેશ કરવામાં આવ્યો છે.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આયોજન અંગેની વિગતો જોઇએ તો ભાવનગર તાલુકાની-૯૩,
ગારીયાધાર તાલુકાની-૭૩, ઘોઘા તાલુકાની-૮૨, જેસર તાલુકાની-૬૦, મહુવા તાલુકાની-૧૯૦, પાલીતાણા

તાલુકાની-૧૩૫, શિહોર તાલુકાની-૧૩૨, તળાજા તાલુકાની-૧૮૬, ઉમરાળા તાલુકાની-૭૦ અને વલ્લભીપુર
તાલુકાની-૭૬ સહિત કુલ-૧૦૯૭ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો સમાવેશ કરાયો છે.
બાલવાટીકામાં ભાવનગર તાલુકાના-૧,૮૬૭ ભૂલકાનું નામાંકન કરાશે. જ્યારે ગારીયાધરમાં-૮૮૧, ઘોઘામાં-૧૨૭૬,
જેસરમાં ૮૮૪, મહુવામાં-૩,૮૩૪, પાલીતાણામાં-૨૪૨૪, શિહોરમાં-૨,૨૨૩, તળાજામાં-૩,૫૮૪, ઉમરાળામાં-૭૯૬ અને
વલ્લભીપુરમાં-૮૧૯ સહિત કુલ-૧૮,૫૮૮ બાળકોનું બાલવાટીકામાં નામાંકન કરાશે.
જ્યારે ધોરણ-૮ માંથી ધો.૯ માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓમાં ભાવનગર તાલુકામાં-૧૧૭૫, ગારીયાધારમાં-૮૪૩,
ઘોઘામાં-૬૯૦, જેસરમાં-૪૭૧, મહુવામાં-૧૭૯૧, પાલીતાણામાં-૧૯૬૭, શિહોરમાં-૧૬૮૭, તળાજામાં-૨૬૬૪,
ઉમરાળામાં-૫૧૦ અને વલ્લભીપુર તાલુકામાં-૬૧૭ સહિત કુલ-૧૨,૪૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
તેવી જ રીતે ધો.૧૧ માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓમાં ભાવનગર તાલુકામાં ૩૫૫, ગારીયાધરમાં-૪૪૦, ઘોઘામાં- ૩૦૧,
જેસરમાં-૨૨૧, મહુવામાં-૮૧૬, પાલીતાણામાં-૯૮૦, શિહોરમાં-૯૫૭, તળાજામાં-૮૦૩, ઉમરાળામાં-૩૮૮ અને
વલ્લભીપુર તાલુકામાં-૬૨૩ સહિત કુલ-૫,૮૮૪ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
રાજ્યકક્ષાએથી મંત્રીશ્રી તેમજ જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં પ્રવેશ
કરાવશે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક દિવસે એક પ્રાથમિક શાળા અને બે માધ્યમિક શાળાઓમાં
પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. આમ, જિલ્લા શિક્ષણાધિકારી- પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સમગ્ર શિક્ષા કચેરી
ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું છે.

Related Posts