સાવરકુંડલા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા ગુજરાત સરકારમાં
રજૂઆત કરી સાવરકુંડલા તાલુકાના રામગઢ -જાબાળ રોડના ૧.૨૫ કરોડ નું કામ,નવાગામ- જાંબુડા
રોડ ૮૦ લાખ તેમજ પીયાવા-ખાલપર રોડ નું ૧.૫૦ કરોડ નું કામ કુલ ૩.૫૫ કરોડની રકમ ની
સેધાંતિક મંજુરી તારીખ ૨૪-૩-૨૦૨૬ ના રોજ આપવામાં આવી છે.
જેથી સાવર કુંડલા તાલુકાના રામગઢ -જાબાળ, નવાગામ- જાંબુડા ના ગામ તેમજ પીયાવા-ખાલપર રોડ
બનવાથી સાવરકુંડલા -લીલીયા -ગારીયાધાર તાલુકાના ગામો આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં
માર્ગોની સુવિધામાં મોટો વધારો થશે.આ ગામોના નાગરિકોને નવીન અને સુવિધાયુક્ત રસ્તાઓની ભેટ
મળશે
શ્રી કસવાલાએ જણાવ્યું હતું કે, આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરની સારી
સુવિધા મળશે અને ખેડૂતોને પણ પોતાના પાકને બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે, જે ગ્રામ્ય
અર્થતંત્રને વેગ આપશે.
આ સાવરકુંડલા તાલુકાના ૫ ગામ ૩.૫૫ કરોડના કામો મંજુર કરવા બદલ ધારાસભ્યશ્રી મહેશભાઈ
કસવાલાએ આ જનહિતના કામોને તાત્કાલિક મંજૂરી આપવા બદલ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

















Recent Comments