ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી બસપોર્ટ ખાતે આજે ગુરુવારની બપોરે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી અમરેલી શહેરમાં નાગરિકો અવગત થાય તે માટે, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ૧૦૮, પોલીસ વિભાગના આંતરિક સંકલનથી મુસાફરોથી ભરેલા બસમથકમાં બનતી ત્વરાએ રાહત અને બચાવ કામગીરી મોકડ્રીલના માધ્યમ કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટરશ્રીની વિશેષ ઉપસ્થિતિ અને ફાયર અધિકારી શ્રી એચ.સી. ગઢવીના દિશાનિર્દેશમાં યોજાયેલ આ મોકડ્રીલના પ્રારંભે બસપોર્ટની સૂચના માટેની પ્રસારણ વ્યવસ્થા દ્વારા મુસાફરોને સૂચિત મોકડ્રીલ વિશે અવગત કરવામાં આવ્યા હતા. નાગરિકોમાં ભય ન ફેલાઇ અને અફવાઓનો માહોલ ન બને તે માટે આ સૂચનાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. દરમિયાન અગાઉથી નક્કી કરવામાં આવેલી સ્થિતિ મુજબ ફાયર બ્રિગેડને બસ મથકમાં ઇમરજન્સીનો કોલ મળ્યો હતો.
પળવારમાં જ બસપોર્ટ ખાતે ૧૦૮ની ૦૩ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના ૦૨, ફાયર ફાઇટર ૦૨ વાહનો, રેસ્ક્યુ સાધનો સાથે જવાનો દોડી આવ્યા હતા. આ મોક઼ડ્રીલમાં ૧૨ જેટલા મુસાફરોનું રેસ્ક્યુ કરી અને તેમને તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવ્યા હતા. આગ બૂઝાવવા માટેના વિવિધ ઉપકરણો દ્વારા ફાયર બ્રિગેડે આ સ્થિતિને કાબૂ લેવા નિદર્શન કર્યુ હતુ.
આ મોકડ્રીલ વિશે વિગતો આપતા અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી, દિલિપસિંહ ગોહિલે કહ્યુ કે, સંભવિત યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય તો આ પ્રકારની સ્થિતિમાં નાગરિકોનો બચાવ કેવી રીતે કરવો તેની જાણકારી નાગરિકોને મળે અને જાહેર સ્થળોએ આવી ઘટના બને ત્યારે નાગરિકો કેવો પ્રતિભાવ આપે છે તે જાણવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં આંતર વિભાગીય પ્રતિભાવ કેવો છે તેની વિગત પણ આ પ્રકારની મોકડ્ર
Recent Comments