ગુજરાત

21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને દીક્ષાંત સમારોહમાં અમરેલી સહિતના 200થી વધુ યોગ કોચ-યોગ ટ્રેનર જોડાયા

દીક્ષાંત સમારોહમાં અમરેલી સહિતના 200થી વધુ યોગ કોચ-યોગ ટ્રેનર જોડાયા

ગાંધીનગરમાં કાર્યક્રમ: મેદસ્વિતા ઘટાડવા મુખ્યમંત્રીનું આહવાન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાનના સંયુક્ત ઉપક્રમે ગત તા. 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સમગ્ર – ગુજરાતમાંથી યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ તેમજ વિશ્વ ધ્યાન દિવસની ઉત્સાહભેર —ઉજવણી કરાઈ હતી. મુખ્યમંત્રીએ

યોગના રહસ્ય વિશે વાત કરીને મેદસ્વિતા ઓછી કરવા માટે આહવાન કર્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે મોટીવેશન સ્પીચ તેમજ આહાર તેમજ દિનચર્યા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના યોગ કોચઅને યોગ  ટ્રેનર બહેનો સહિત અને 4,500 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શિવકૃપાનંદ સ્વામીએ પણ પોતાની ધ્યાન સાધનાની વાત કરીને દિવ્ય  ધ્યાનની અનુભૂતિ કરાવી હતી. જેમાં અમરેલી જિલ્લા યોગ કોર્ડિનેટર સાગર મહેતા યોગ કોચ કમલેશભાઈ રાવલ, શર્મિષ્ઠાબેન રાવલ, કમલાબેન હેલૈયા, દીપાબેન તેરૈયા, પ્રિયંકાબેન કટોચ, ભૂમિબેન મજૂકોડિયા, શિવરાજભાઈ બસીયા તેમજ યોગ ટ્રેનર સોનુંબેન, ચેતનાબેન મહેતા, અનિતાબેન રામાણી આ કાર્યક્રમ માં જોડાયા હતા તેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આયા હતા. 

Related Posts