ગુજરાત

જુનાગઢમાં ભવનાથ તળેટી ખાતે શ્રી ભારતી આશ્રમમાં નવનિર્મિત ભવ્ય અતિથિ ભવનનું ખાતમુહૂર્ત કરતા સાંસદ ભરત સુતરીયા

જુનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમમાં નવનિર્મિત ભવ્ય અતિથિ ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ શુભ પ્રસંગે સાંસદ શ્રી ભરત સુતરીયા, શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ, શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતીજી મહારાજ, તેમજ ગિરનારના વરિષ્ઠ સંત-મહંતોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરીયા, ભેસાણ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોજીત્રા, તેમજ આશ્રમના અગ્રણી સેવક શ્રી ચિરાગભાઈ પરમાર સહિત અનેક ભક્તજનો હાજર રહ્યા હતા.

આ અતિથિ ભવનનું નિર્માણ આશ્રમના ભક્તો અને સંતોના સુવિધા અને સેવાના હેતુથી કરવામાં આવ્યું છે. આ ભવ્ય ભવનમાં અતિથિઓના રહેવા-ખાવાની સુવિધા, ધાર્મિક કાર્યક્રમો અને સભાઓ માટેની વ્યવસ્થા, તેમજ આધ્યાત્મિક ચર્ચાઓ અને સત્સંગ માટેની જગ્યા ઉપલબ્ધ હશે. આ ભવનના નિર્માણથી આશ્રમની સેવા અને સાધના ક્ષેત્રે નવી ઊર્જા અને વિસ્તાર મળશે એવી ભાવના સહિત આ પ્રસંગનો આરંભ કરવામાં આવ્યો હતો.

આ શુભ પ્રસંગે હાજર રહેલા સંત-મહંતો અને ભક્તજનોએ આશ્રમના વિકાસ અને સેવાના કાર્યમાં યોગદાન આપનાર સર્વ લોકોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે શ્રી ભારતી આશ્રમના સેવકો અને સંચાલકોની સખત મહેનત અને સમર્પણની પ્રશંસા કરવામાં આવી હતી. આ ભવ્ય અતિથિ ભવનના નિર્માણથી આશ્રમની સેવાના કાર્યમાં નવી ઊર્જા અને ગતિ આવશે એવી આશા સહિત આ પ્રસંગનો સમાપન થયો હતો.

Related Posts