જુનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમમાં નવનિર્મિત ભવ્ય અતિથિ ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ શુભ પ્રસંગે સાંસદ શ્રી ભરત સુતરીયા, શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ, શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતીજી મહારાજ, તેમજ ગિરનારના વરિષ્ઠ સંત-મહંતોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરીયા, ભેસાણ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોજીત્રા, તેમજ આશ્રમના અગ્રણી સેવક શ્રી ચિરાગભાઈ પરમાર સહિત અનેક ભક્તજનો હાજર રહ્યા હતા.
આ અતિથિ ભવનનું નિર્માણ આશ્રમના ભક્તો અને સંતોના સુવિધા અને સેવાના હેતુથી કરવામાં આવ્યું છે. આ ભવ્ય ભવનમાં અતિથિઓના રહેવા-ખાવાની સુવિધા, ધાર્મિક કાર્યક્રમો અને સભાઓ માટેની વ્યવસ્થા, તેમજ આધ્યાત્મિક ચર્ચાઓ અને સત્સંગ માટેની જગ્યા ઉપલબ્ધ હશે. આ ભવનના નિર્માણથી આશ્રમની સેવા અને સાધના ક્ષેત્રે નવી ઊર્જા અને વિસ્તાર મળશે એવી ભાવના સહિત આ પ્રસંગનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ શુભ પ્રસંગે હાજર રહેલા સંત-મહંતો અને ભક્તજનોએ આશ્રમના વિકાસ અને સેવાના કાર્યમાં યોગદાન આપનાર સર્વ લોકોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે શ્રી ભારતી આશ્રમના સેવકો અને સંચાલકોની સખત મહેનત અને સમર્પણની પ્રશંસા કરવામાં આવી હતી. આ ભવ્ય અતિથિ ભવનના નિર્માણથી આશ્રમની સેવાના કાર્યમાં નવી ઊર્જા અને ગતિ આવશે એવી આશા સહિત આ પ્રસંગનો સમાપન થયો હતો.
Recent Comments