બેન્કના ગ્રાહકો અને કર્મચારીઓના હિતમાં ર્નિણય લેવાયોઃ પ્રકાશ જાવડેકરલક્ષ્મી વિલાસ બેન્કના ડીબીએસ બેન્કમાં વિલિનીકરણને મોદી કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્કના ડ્ઢમ્જી બેન્ક ઓફ ઈન્ડિયા લિમિટેડ )માં વિલય પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ સાથે છ્ઝ્રમાં એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં કેબિનેટ ર્નિણયોની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્કનો ડ્ઢમ્જી બેન્કમાં વિલયનો આદેશ આપ્યો હતો. ્માં ૨૪૮૦ કરોડના પ્રત્યેક્ષ વિદેશી રોકાણ ને કેબિનેટે મંજૂરી આપી છે. ટાટા સમૂહની કંપની એટીસીના ૧૨ ટકા શેર એટીસી પેસિફિક એશિયાએ લીધા છે.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ અને આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિ (ઝ્રઝ્રઈછ)ની બેઠકમાં ઘણા મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ભાર આર્ત્મનિભર ભારતને પ્રોત્સાહન આપવા પર છે. તેથી તે માટે નાણા ભેગા કરવા હવે ડેટ માર્કેટનો ફાયદો ઉઠાવવામાં આવશે.
આ રીતે નેશનલ ઇનવેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપના કરવામાં આવી હતી. કેબિનેટે આજે ર્નિણય લીધો છે કે તેમાં ૬૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ આગામી બે વર્ષમાં થશે. તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે બોન્ડ માર્કેટ દ્વારા ૧ લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી થશે.
ભારતીય રિઝર્વ બેન્કે ૧૭ નવેમ્બરે દક્ષિણ ભારત કેન્દ્રીત લક્ષ્મી વિલાસ બેન્કને એક મહિનાના મોરેટોરિયમમાં મુકી હતી. આરબીઆઈએ બેન્કને આદેશ આપ્યો હતો કે આગામી એક મહિના સુધી બેન્કમંથી કોઈ ગ્રાહક ૨૫ હજારથી વધુનો ઉપાડ કરી શકશે નહીં. આરબીઆઈના આ ર્નિણયની અસર બેન્કના શેરો પર પણ જાેવા મળી રહી છે.
કટોકટીની સ્થિતિમાં બેન્કમાંથી ૫ લાખ રૂપિયા કાઢી શકાય છે. સારવાર, લગ્ન, શિક્ષણ અને અન્ય જરૂરી કામો માટે આ રકમ ઉપાડી શકાય છે, પરંતુ તે માટે ગ્રાહકોએ પૂરાવા આપવા પડશે.
Recent Comments