fbpx
રાષ્ટ્રીય

શાહનો બે દિવસીય પ.બંગાળ પ્રવાસઃ દીદી પર વરસ્યા ભાજપ ૨૦૦થી વધુ બેઠકો જીતીને સોનાર બાંગ્લાનું સપનું સાકાર કરશેઃ શાહ

શાહે મિદનાપુર રેલીમાં ટીએમસીને ઉખાડી ફેંકવા લોકોને અપીલ કરી,ચૂંટણી સુધીમાં ટીએમમાં મમતા એકલા પડી જશે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ રાજકીય ઉલટફેરનો રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરીમાં ટીએમસીના દિગ્ગજ નેતા અને મમતાના ખાસ ગણાતા શુભેન્દુ અધિકારી સાથે એક સાંસદ અને ૯ ધારાસભ્યો ઉપરાંત ટીએમસી, ડાબેરી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે મિદનાપુરમાં એક રેલીને સંબોધતા ટીએમસી સુપ્રીમ મમતા બેનરજી પર પ્રહારો કર્યા હતા. શાહે દાવો કર્યો હતો કે આ વખતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૨૦૦થી વધુ બેઠકો સાથે સ્પષ્ટ બહુમત મેળવીને સરકાર રચશે.
અગાઉ અમિત શાહે ખુદીરામ બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ રામકૃષ્ણ આશ્રમમાં પૂજા-અર્ચના કરી હતી. બંગાળમાં બે દિવસની મુલાકાતે આવેલા અમિત શાહે મિદનાપુરમાં રેલી સંબોધી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરોની હત્યાના મામલે અમિત શાહે કહ્યું કે મમતા દીદી તમારા રાજ્યમાં ભાજપના ૩૦૦થી વધુ કાર્યકરોની હત્યા થઈ છે. પરંતુ એક વાત યાદ રાખજાે કે જેટલા લોકો પર અત્યાચારો થશે તેટલા વધુ જુસ્સાથી કાર્યકરો ચૂંટણીમાં કામ કરશે. ભાજપ આવા કૃત્યથી ડરવાનું નથી. અમિત શાહે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના કાફલા પર કરાયેલા હુમલાની પણ નિંદા કરી હતી.
ભાજપમાં જાેડાયેલા તમામ લોકોને શાહે અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે ચૂંટણી યોજાશે ત્યાં સુધીમાં મમતા દીદી એકલા પડી જશે. મમતા દીદી ફક્ત સંકીર્ણ રાજકારણ કરી રહ્યા છે. ભત્રીજાને સીએમ બનતો જાેવા માંગે છે. તેઓ કેન્દ્રની યોજનાઓનો લાભા રાજ્યના ખેડૂતો સુધી નથી પહોંચાડી રહ્યા. પરંતુ ભાજપનું ધ્યેય સોનાર બાંગ્લા છે. આજે રેલીમાં ઉમટેલી સ્વયંભૂ ભીડ જ મમતા બેનરજીને આગામી ચૂંટણીમાં જવાબ આપશે અને અમે બંગાળને સોનાર બાંગ્લા બનાવીશું તેવો દાવો અમિત શાહે કર્યો હતો. છેલ્લે ગૃહ મંત્રીએ લોકોને ટીએમસીને બંગાળમાંથી ઉખાડી ફેંકવા જણાવ્યું હતું અને ત્રણ દાયકા કોંગ્રેસને જ્યારે ૧૦ વર્ષ ટીએમસીને આપ્યા છે ત્યારે પાંચ વર્ષ ભાજપને પણ આપવા અપીલ કરી હતી.

૫ ધારાસભ્યો સહિત કુલ ૧૧ નેતાઓને ભાજપમાં જાેડાયા

આ જાહેરસભામાં ટીએમસીના સાંસદ સુનીલ મંડલ, મમતા બેનર્જીની પાર્ટીના પાંચ ધારાસભ્યો સહિત કુલ ૧૧ વર્તમાન ધારાસભ્યો અમિત શાહની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. જેમાં એક પૂર્વ સાંસદ પણ શામેલ છે. આ ધારાસભ્યોમાં શુભેન્દુ અધિકારી, તાપસી મોંડલ, અશોક ડિંડા, સુદીપ મુખર્જી, સૈકત પંજા, શીલભદ્ર દત્તા, દિપાલી બિસ્વાસ, સુકરા મુંડા, શ્યામપદા મુખર્જી, બિસ્વજીત કુંડુ અને મૈત્રી બેનર્જી જેવા નેતાઓ ભાજપમાં જાેડાઈ ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/