fbpx
રાષ્ટ્રીય

ઉ.પ્રદેશમાં વેક્સિન લીધાના ૨૪ કલાક બાદ વોર્ડબોયના મોતથી હડકંપ મચ્યો

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં જિલ્લા હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતા ૪૬ વર્ષના મહિપાલ સિંહનું અચાનક તબિયત ખરાબ થતાં મોત થયું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે મહિપાલ સિંહને ૧૬ જાન્યુઆરીએ કોરોના રસીકરણ અભિયાન દરમિયાન રસી આપવામાં આવી હતી અને રસીના કારણે તેમનું મોત નીપજ્યું હતું. જાેકે ચીફ ઓફ મેડિકલ ઓફિસર સીએમઓ એમસી ગર્ગે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે મહિપાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ હાર્ટ એટેક આવ્યું છે.
જિલ્લાધિકારી રાકેશકુમાર સિંહે પણ મહિપાલસિંઘના હાર્ટ એટેકથી મોતની વાત કહી છે. તેમણે કહ્યું કે મહિપાલના અવસાન બાદ કોરોના રસી અંગે અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહિપાલ સિંહના દીકરાએ મીડિયાને જણાવ્યું હતું કે સવારે ડ્યૂટી પરથી છૂટ્યા બાદ તે અચાનક તબિયત બગડી ગઇ હતી. મારે કોઈ કામથી જવાનું હતું તો હું જતો રહ્યો, સાંજે મને ફોન આવ્યો કે તબિયત વધુ ખરાબ છે. પરિવારે ૧૦૮ પર ફોન કર્યો હતો પરંતુ તેઓ સમયસર આવ્યા ન હતા. શનિવારે રસીકરણ બાદ તેમનો શ્વાસ ખૂબ ફૂલી રહ્યો હતો. એક સવાલના જવાબમાં વિશાલે કહ્યું કે તેઓ કોરોના પોઝિટિવ પણ નહોતા. પરિવારનો આરોપ છે કે રસી આપતા પહેલાં મહિપાલ સિંહનું મેડિકલ તપાસ કરવામાં આવી નહોતી.
મહિપાલ સિંહના મૃત્યુ બાદ સીએમઓ એસસી ગર્ગ તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે મહિપાલના છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા. પરિવારના આરોપો પર સીએમઓએ કહ્યું કે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. કેટલાંક લોકો એ ભ્રમ ઉભો કરી રહ્યા છે કે મુરાદાબાદમાં વેક્સીનના લીધે મોત થયું છે. મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં હાર્ટ એટેક કારણ છે. આ ઘટનાનો વેકસીન સાથે કોઇ સંબંધ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/