fbpx
રાષ્ટ્રીય

ટુલકીટ કેસઃ દિલ્લી કોર્ટથી શાંતનુ મુકુલને રાહત, ૯ માર્ચ સુધી ધરપકડ પર રોક

ખેડૂત આંદોલનને વૈશ્વિક સ્તરે ફેલાવવા માટે ટૂલકીટ બનાવીને ટિ્‌વટર પર દંગલ મચાવવન આરોપી શાંતનુ મુલુકની આગોતરા જામીન પરની સુનાવણી દરમિયાન પોતાનો જવાબ ફાઇલ કરવા દિલ્હી પોલીસે ગુરુવારે વધુ સમય માંગ્યો હતો.

આના પર કોર્ટે કેસની આગામી સુનાવણી ૯ માર્ચ સુધી મુલતવી રાખી હતી અને દિલ્હી પોલીસને ત્યાં સુધી શાંતાનુ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો. આ રીતે, શાંતનુ ૯ માર્ચ સુધી તેની ધરપકડથી રાહત મેળવશે.
કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધના વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં સોશિયલ મીડિયા પર શેર કરેલા ટૂલકિટ કેસના સહ આરોપી શાંતનુ મુલુકની આગોતરા જામીન અરજી પર પોલીસનો જવાબ માંગ્યો હતો.

એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણા સમક્ષ આગોતરા જામીન અરજીની સુનાવણી પહેલાં સરકારી વકીલ ઇરફાન અહેમદને સુનાવણી મુલતવી રાખવા અને ફીજીકલ સુનાવણી કરવા વિનંતી કરવામાં આવી હતી. આ સિવાય તેમણે કહ્યું હતું કે સુનાવણી ફક્ત એવા અધિકારીઓની હાજરીમાં થવી જાેઈએ કે જેઓ આજે ઉપલબ્ધ નથી.

તે જ સમયે, વકીલ સરીમ નાવેદે, શાંતનુ તરફેણ કરીને કોર્ટને જણાવ્યું હતું કે મુંબઈ હાઈકોર્ટે શાંતનુને ૧૦ દિવસ માટે આગોતરા જામીન આપી દીધા છે, જે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી લાગુ છે. તેમણે કહ્યું કે આ પછી દિલ્હી પોલીસ તેના અસીલ શાંતનુની ધરપકડ કરી શકે છે. આ કિસ્સામાં, જામીન પર ટૂંક સમયમાં સુનાવણી થવી જાેઈએ.
કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી અને ગુરુવારે જ ફરિયાદીને પોતાનો કેસ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. અન્ય સહ આરોપી નિકિતા જેકબ સાથે ટૂલકિટ એફઆઈઆર સાથે જાેડાયેલા મામલે શાંતનુ સોમવારથી તપાસમાં સામેલ છે. આ કેસમાં આરોપી દિશા રવિને સોમવારે કોર્ટે જામીન પર મુક્ત કર્યો હતો.

ગત ચૂંટણીમાં હિન્દુ મહાસભાની ટિકિટ પરથી ચૂંટણી લડીને કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા બાબુલાલ ચોરસિયા નામના મધ્યપ્રદેશના નેતા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે તેમને કોંગ્રેસની સદસ્યતા અપાવી હતી.જાેકે તેમના કોંગ્રેસમાં જાેડાવાથી પાર્ટીમાં આંતરિક હલચલ મચી ગઈ છે. કારણકે બાબૂલાલ ચોરિસયાએ ૨૦૧૭માં ગ્વાલિયરમાં નાથુરામ ગોડસેની પ્રતિમા લગાવવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રતિમાની પૂજા પણ કરી હતી.

જાેકે કોંગ્રેસમાં જાેડાયા બાદ બાબૂલાલના સુર બદલાઈ ગયા છે. તેમણે કહ્યુ હતુ કે, મને અંધારામાં રાખીને ગોડસેની પૂજા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી મેં હિન્દુ મહાસભા સાથે છેડો ફાડી નાંખ્યો હતો.

આમ તો બાબૂલાલ મૂળે કોંગ્રેસી છે પણ ગત ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ નહોતી આપી એટલે તેઓ હિન્દુ મહાસભામાં જાેડાઈ ગયા હતા. હવે તેમણે ફરી કોંગ્રેસમાં કુદકો માર્યો છે.
જાેકે કોંગ્રેસના એક નેતા માનક અગ્રવાલનુ કહેવુ છે કે, બાબુલાલ ચૌરસિયાની કોંગ્રેસમાં એન્ટ્રીનો હું વિરોધ કરવાનો છું. ગોડસેની પૂજા કરનારાઓને કોંગ્રેસમાં સામેલ કરવા જાેઈએ નહીં.કદાચ કમલનાથને આ બાબતની જાણકારી નહીં હોય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/