ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ ચાલુ છે. તે દરમિયાન, ભારતની ઝડપી કાર્યવાહીથી ખાલિસ્તાનીઓમાં ગભરાટ ફેલાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (દ્ગૈંછ) એ ગેંગસ્ટરો અને આતંકવાદીઓ પર કાર્યવાહી શરૂ કરી છે, જેઓ વિદેશમાં બેસીને ભારતનું વાતાવરણ બગાડી રહ્યા છે. દ્ગૈંછએ પંજાબ સહિત ૬ રાજ્યોની પોલીસ પાસેથી તે તમામ ગુંડાઓ અને આતંકવાદીઓ વિશે ડેટા માંગ્યો છે જે નકલી પાસપોર્ટ અને નકલી દસ્તાવેજાેની મદદથી ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડામાં છુપાયેલા છે. દ્ગૈંછએ કયા રાજ્યોની પોલીસ પાસેથી ડેટા માંગ્યો?.. જે વિષે જણાવીએ, દ્ગૈંછએ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરો પર કાર્યવાહી શરૂ કરી છે જેઓ વિદેશમાં જઈને રાજકીય આશ્રય મેળવવાની આડમાં અમેરિકા, કેનેડા સહિતના યુરોપિયન દેશોમાં ભાગી ગયા છે અને ત્યાંથી કામ કરી રહ્યા છે.
પંજાબ ઉપરાંત હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત છ રાજ્યોની પોલીસ પાસેથી પણ ડેટા માંગવામાં આવ્યો છે. આ ગેંગસ્ટરો અને ખાલિસ્તાન તરફી આતંકવાદીઓને નકલી દસ્તાવેજાે પૂરા પાડનારા અને નકલી પાસપોર્ટ બનાવનારા લોકો વિશે પણ માહિતી માંગવામાં આવી છે. દ્ગૈંછએ ૬ રાજ્યોમાં લગભગ ૩૬૮ વિદેશી દેશોમાંથી કાર્યરત સમાન પ્રોફાઇલ્સની માહિતી માંગી છે. દ્ગૈંછએ પંજાબ પોલીસને પંજાબમાંથી આવા ૧૨૨ જેટલા ગુનેગારોનો ડેટા તાત્કાલિક કમ્પાઈલ કરીને મોકલવા જણાવ્યું છે.
તે જ સમયે, ગેંગસ્ટરો સામે ભારતની ઝડપી કાર્યવાહીને કારણે ખાલિસ્તાનીઓમાં ગભરાટ છે. આ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને લઈને પણ મોટો ખુલાસો થયો છે, જે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને મુશ્કેલીમાં વધારો કરે તેવા છે. નિજ્જરની એક નવી તસવીર સામે આવી છે જે તેના મૃત્યુ પહેલાની છે, જેમાં તે એકે-૪૭ સાથે જાેવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની એજન્સી ૈંજીૈંએ નિજ્જરનું બ્રેઈનવોશ કર્યું હતું અને તેને વર્ષ ૨૦૧૨-૧૩માં હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ આપી હતી.
Recent Comments