અમરેલી તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ (શનિવાર) ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અન્વયે અમરેલી જિલ્લાની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી, અમરેલી, સાવરકુંડલા, દામનગર નગરપાલિકા તેમજ બગસરા તાલુકા પંચાયતની વાઘણીયા જૂના, બાબરા તાલુકા પંચાયતની કરિયાણા, ધારી તાલુકા પંચાયતની મીઠાપુર ડુંગરી બેઠકોની ચૂંટણીઓનું મતદાન તા.૧૬ ફેબ્રુઆરીએ અને મતગણતરી તા.૧૮ ફેબ્રુઆરીએ યોજાશે.
આ ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત તા. ૨૭.૦૧.૨૦૨૫ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને તા.૦૧.૦૨.૨૦૨૫ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી
તા.૦૩.૦૨.૨૦૨૫ના રોજ થશે, ઉમેદવારી પત્રો પરત ખેંચી લેવાની અંતિમ તારીખ તા.૦૪.૦૨.૨૦૨૫ જાહેર કરવામાં આવી છે.ચૂંટણીનું મતદાન તા.૧૬.૦૨.૨૦૨૫ના રોજ થશે જ્યારે પુન: મતદાન (જરુર જણાય તો) તા.૧૭.૦૨.૨૦૨૫ના રોજ થશે. ચૂંટણીની મતગણતરી ૧૮.૦૨.૨૦૨૫ના રોજ થશે જ્યારે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ૨૧.૦૨.૨૦૨૫ના રોજ થશે.
Recent Comments