શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/ B પર ઓવરબ્રીજની કામગીરી
અંદાજીત ૧૨ (બાર) માસ સુધી સતત ચાલુ રહેવાની હોય, ઉક્ત જાહેરનામાની મુદતમાં વધારો કરી આપવા અંગેની
દરખાસ્તની વિગતે જાહેરનામું બહાર પાડ્યું ઉચિત જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તેમને મળેલ
અધિકારની રૂઈએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામાં દર્શાવ્યાં મુજબ શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક
નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા.૧૮/૦૧/૨૦૨૬ થી તા.૧૬/૦૨/૨૦૨૬ સુધી શિહોરથી ઘાંઘળી તરફ
તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નીચે મુજબના ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા
ફરમાવ્યું છે.
માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોની અવરજવર માટે શિહોરથી વાયા શિહોર GIDC થઈ ઘાંઘળી-
વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી
વાયા નેસડા ગામ થઈ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે
વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી વાયા નેસડા ગામ થઇ શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન
રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
મોટા વાહનોની અવર-જવર માટે શિહોરથી વાયા શિહોર GIDC થઈ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન
વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા (ખોડીયાર) થી
નવાગામ (ચીલોડા) થી રંગોલી ચોકડી થઇ ભાવનગર-વલ્લભીપુર હાઇવે રોડ ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી
ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે
વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી નેસડાથી ઉંડવીથી કરદેજથી રંગોલી ચોકડી થઇ ભાવનગર-રાજકોટ
હાઇવે ઉપર નવાગામ (ચીલોડા) થી રાજપરા (ખોડીયાર) થી શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા
પરથી વાહનો પસાર કરવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા
થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ
પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.
શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે ઓવરબ્રીજના કામને અનુલક્ષીને રૂટ ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પડાયું
















Recent Comments