રાષ્ટ્રીય

ઓડિશા યોગ કનેક્ટ: ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ૬૦૦૦થી વધુ યોગ પ્રેમીઓએ યોગનો અભ્યાસ કર્યો

‘હરિત યોગ’ વ્યક્તિગત અને ગ્રહ સ્વાસ્થ્ય બંનેનું પોષણ કરે છે: કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવો દ્વારા ‘હરિત યોગ’ નામના એક મહત્વપૂર્ણ કાર્યક્રમનો શુભારંભ કરાયો

ભુવનેશ્વરમાં આજે ૬૦૦૦થી વધુ યોગ પ્રેમીઓએ કલિંગા સ્ટેડિયમ ખાતે કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કરી ભવ્ય ઉજવણીનાં સાક્ષી બન્યા હતા. મુખ્ય કાર્યક્રમ પૈકીની એક, ‘હરિત યોગ‘નો શુભારંભ કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ અને અન્ય મહાનુભાવોએ સાથે મળીને કરવા માટે ઔષધીય રોપનું વાવેતર કર્યું હતું. તમામ યોગ પ્રેમીઓને ઔષધીય છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા માનનીય મંત્રીએ જણાવ્યું હતું કે, “છેલ્લાં ૧૦ વર્ષમાં યોગને અભૂતપૂર્વ લોકપ્રિયતા મળી છે અને હવે તે વૈશ્વિક ઘટના બની ગઈ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૩૦ માર્ચ, ૨૦૨૫ના રોજ ‘મન કી બાત‘માં પોતાના સંબોધનમાં દૈનિક જીવનમાં ફિટનેસના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવી પહેલોની પ્રશંસા કરી હતી. વિશ્વની તંદુરસ્ત વસ્તી માટે ભારતનું વિઝન વહેંચતી વખતે પ્રધાનમંત્રીએ ૈંડ્ઢરૂ૨૦૨૫ની થીમ ‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ‘નો ઉલ્લેખ કર્યો હતો. આ થીમ સમગ્ર વિશ્વ માટે સંપૂર્ણ સ્વાસ્થ્યની ખાતરી આપે છે.”
‘હરિત યોગ‘ પહેલ વિશે બોલતા માનનીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણું સ્વાસ્થ્ય આપણા પ્લાનેટના સ્વાસ્થ્ય સાથે અવિભાજ્ય રીતે જાેડાયેલું છે. જેમ યોગ આપણા મન અને શરીરને પોષણ આપે છે, તેવી જ રીતે વૃક્ષારોપણ પણ પૃથ્વીને પોષણ આપે છે, જે આવનારી પેઢીઓ માટે હરિયાળું અને તંદુરસ્ત ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.”
આ સાથે આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે ‘હરિત યોગ‘ના શુભારંભની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હરિત યોગ એ ૈંડ્ઢરૂ ૨૦૨૫ના ૧૦ સિગ્નેચર ઇવેન્ટ્સનો એક ભાગ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી જાધવે હરિત યોગના શુભારંભ પ્રસંગે અન્ય મહાનુભાવો સાથે ઔષધીય છોડનું વાવેતર કર્યું હતું.
યોગના ટકાઉપણા અને પર્યાવરણીય પાસાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય રાજ્ય મંત્રીએ હરિત યોગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ‘ના વિઝન સાથે સાંકળી લીધો હતો અને કહ્યું હતું કે, “આ પહેલ વ્યક્તિગત અને આપણાં ગ્રહના સ્વાસ્થ્ય બંનેના પોષણના પ્રતીકાત્મક કાર્ય તરીકે વ્યક્તિઓને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.”
આદરણીય મંત્રીએ ‘પ્રકૃતિ પરીક્ષા અભિયાન‘ની સફળતા પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનારા ૧.૨૯ કરોડથી વધુ લોકોની પ્રકૃતિ પરીક્ષા યોજવામાં આવી હતી.
ઓડિશાનાં નાયબ મુખ્યમંત્રી સુશ્રી પ્રવતી પરીદાએ યોગની શક્તિ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, “યોગ આપણને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરે છે. ચાલો આપણે યોગને આપણા રોજિંદા જીવનમાં સંકલિત કરીએ અને ભગવાન જગન્નાથની દિવ્ય ઊર્જાથી શક્તિ મેળવીએ. ઓડિશા સરકાર વતી અમે ઓડિશાને આપવા બદલ ભારત સરકાર અને આયુષ મંત્રાલયનો આભાર વ્યક્ત કરીએ છીએ તથા ભુવનેશ્વરમાં ૭૫માં દિવસના કાઉન્ટડાઉનનું આયોજન કરવામાં આઇડીવાય ૨૦૨૫નો હિસ્સો બનવાની તક આપી છે.”
યોગની સફળતાને વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવર તરીકે સ્વીકારતાં પુરી લોકસભાનાં સાંસદ શ્રી સંબિત પાત્રાએ કહ્યું હતું કે, “આપણાં આદરણીય પ્રધાનમંત્રીનાં વિઝનને કારણે વર્ષ ૨૦૧૪માં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવાની ભારતની દરખાસ્તને ૧૭૭ દેશોએ સર્વાનુમતે સ્વીકારી હતી.”
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ ઉત્સાહી હાજરીની પ્રશંસા કરી અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ૧૧માં સંસ્કરણમાં રેકોર્ડબ્રેક વૈશ્વિક ભાગીદારી જાેવા મળશે.
આ કાર્યક્રમમાં આયુષના સંયુક્ત સચિવ મોનાલિસા દાસ, ભુવનેશ્વરના મેયર સુલોચના દાસ, આયુષ મંત્રીના ઓએસડી નિશાંત મહેરા અને અન્ય ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સંબોધન પછી સ્ડ્ઢદ્ગૈંરૂના ડિરેક્ટર ડૉ. કાશીનાથ સમાગંડીના નેતૃત્વમાં મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગના પ્રદર્શનકારીઓ કોમન યોગ પ્રોટોકોલનું જીવંત પ્રદર્શન કર્યું હતું. કલિંગા સ્ટેડિયમના વાતાવરણમાં ૬૦૦૦થી વધુ યોગ ઉત્સાહીઓએ કોમન યોગ પ્રોટોકોલનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ આયુષ મંત્રાલય, સ્ડ્ઢદ્ગૈંરૂ અને અન્ય યોગ સંસ્થાઓના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.
મહોત્સવમાં કોમન યોગ પ્રોટોકોલ (ઝ્રરૂઁ) ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું. ઝ્રરૂઁ નિષ્ણાતોના સૂચનો સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે કારણ કે

Related Posts