લીલીયા તાલુકા ના શ્રી અંટાળેશ્વર મહાદેવ તથા રામજી મંદિર ટ્રસ્ટ પ્રેરિત શ્રી અંટાળેશ્વર માનવતાની જ્યોત નેત્રયજ્ઞ રવિવાર પહેલી જૂન રોજ યોજાશે
નેત્ર સુરક્ષા અભિયાન માટે સહભાગી શ્રી નાગરદાસ સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય એનપીસીબી એન્ડ વીઆઈ અમરેલીના સહયોગથી આર્થિક સહયોગી જેન્તીભાઈ બાબરીયા એકલારા ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા અકાળા ભગત ના સહયોગથી વિનામૂલ્યે નેત્રયજ્ઞ ની સુવિધાઓ આંખની તકલીફ ભોગવતા લોકોને અપાય છે આંખના તમામ રોગોનું નિદાન સારવાર થાય છે આંખના ઓપરેશન માટે માર્ગદર્શન અપાય છે આંખના મોતિયાના દર્દી નિદાન બાદ સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા નેત્રમણી આરોપણ કરી ઓપરેશન વિનામૂલ્યે કરાય છે કાળી કીકીના કારણે દ્રષ્ટિહિન બનેલા લોકોનું નિદાન થાય છે નેત્ર પ્રત્યારોપણ માટે સુરત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા ના માર્ગદર્શન હેઠળ નેત્ર પ્રત્યારોપણ કરાવી અપાય છે આંખના નંબરની તપાસ કોમ્પ્યુટર દ્વારા કરાય છે જરૂરિયાત મંદ લોકોને નિદાન બાદ ટીપા ,દવા ,નજીકના અને દૂરના બંને આંખે સરખા નંબરના ચશ્મા વિનામૂલ્યે અપાય છે .આંખના મોતિયાના ઓપરેશન બાદ તપાસ અને સારવાર અને માર્ગદર્શનની સુવિધા દર મહિનાનો પહેલો રવિવાર સમય સવારે ૯-૦૦ થી બપોરે ૧૨-૦૦ સ્થળ અંટાળીયા મહાદેવ લાઠી લીલીયા રોડ તાલુકો લીલીયા જીલ્લો અમરેલી ખાતે યોજાય છે
Recent Comments