અમરેલી

શ્રી ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે થઈ ઉજવણી

જાળિયા શનિવાર તા.૧૩-૯-૨૦૨૫

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા શ્રી ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન ઉપક્રમ યોજાઈ ગયો. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ છે.

શ્રી ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં પૂજન વંદના અને પ્રસાદ આયોજન થઈ ગયું.

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન ઉપક્રમ યોજાઈ ગયો, જેમાં ગ્રામજનો અને સેવક પરિવાર દ્વારા સુંદર સેવા કાર્ય થયું.

શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે અને આશ્રમ પરિવારનાં સાથ સહયોગ વડે પૂજન, સત્સંગ દ્વારા ભક્તિભાવ સાથે આ ઉજવણી થઈ છે.

Related Posts