રાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’: પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની સૈન્ય કાર્યવાહી એ પહેલગામના પીડિતોને શ્રદ્ધાંજલિ

૨૨ એપ્રિલ ના રોજ થયેલ જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે પોતાની નીતિને વધુ આક્રમક રૂપ આપતા ૬-૭ મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ લૉન્ચ કર્યું હતું. ભારતની ત્રણેય સેના દ્વારા જાેઇન્ટ ઓપરેશન દ્વારા પાતિસ્તાન અને ર્ઁદ્ભ (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) સ્થિત કુલ ૯ આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. આ કાર્યવાહી રાત્રે આશરે ૧:૩૦ વાગ્યે કરવામાં આવી હતી, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. જેનો હેતુ આતંકવાદીઓના લોન્ચપેડ અને હથિયારોના ભંડારને નાબૂદ કરવાનો હતો.
ભારતના લશ્કરી ઓપરેશનનું નામ, સિંદૂર, એ મહિલાઓને શ્રદ્ધાંજલિ છે જેમણે ગયા મહિને પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા ભયાનક હુમલામાં પોતાના પતિ ગુમાવ્યા હતા. સામાન્ય રીતે, સિંદૂર એ હિન્દી શબ્દ છે જે પરિણીત હિન્દુ મહિલાઓ દ્વારા કપાળ પર પહેરવામાં આવતા પરંપરાગત લાલ સિંદૂર માટે વપરાય છે, જે રક્ષણ અને વૈવાહિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
ગયા મહિને, પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ પુરુષો, જેઓ પ્રવાસી હતા, તેમને તેમની પત્નીઓની સામેજ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ભયાનક હુમલામાં કુલ ૨૬ લોકો માર્યા ગયા હતા અને ભારતે, આતંકવાદી શિબિરો પર તેના હુમલાઓ સાથે, યોગ્ય જવાબ આપ્યો છે.
ભારતે, તેના હુમલામાં, ખાસ ઉલ્લેખ કર્યો છે કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. “કુલ મળીને, નવ (૯) સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. અમારી કાર્યવાહી કેન્દ્રિત, માપવામાં આવી છે અને પ્રકૃતિમાં બિન-વધતી નથી. કોઈપણ પાકિસ્તાની લશ્કરી સુવિધાઓને નિશાન બનાવવામાં આવી નથી. ભારતે લક્ષ્યોની પસંદગી અને અમલની પદ્ધતિમાં નોંધપાત્ર સંયમ દર્શાવ્યો છે.
ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને ર્ઁંદ્ભમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણા પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાને ટાર્ગેટ વિશે વિશ્વસનીય માહિતી હતી, જેના આધારે ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માત્ર આતંકવાદી સંગઠનોને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રિફિંગ આપ્યું હતું કે, ૧.૦૫થી ૧.૩૦ વાગ્યા સુધી ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું. ૨૫ મિનિટમાં જ ૯ આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. વિશ્વસનીય સૂચનાઓના આધારે આ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાન જાે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે.
કર્નલ સોફિયાએ જણાવ્યું કે, પહલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા ક્રૂર હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જેમાં ૯ આતંકવાદી ઠેકાણાંને ટાર્ગેટ બનાવાયા હતા. જે સંપૂર્ણપણે નષ્ટ થયા છે. પાકિસ્તાનમાં ત્રણ દાયકાથી આતંકવાદીઓનું માળખું તૈયાર થઈ રહ્યું છે. ઓપરેશનમાં પાકિસ્તાન અને ર્ઁંદ્ભમાં સ્થિત આતંકવાદીઓના ભરતી કેન્દ્રો, તાલીમ વિસ્તાર અને લોન્ચ પેડ્સને નષ્ટ કરવામાં આવ્યા છે.
મુઝફ્ફરાબાદના સઈદના બિલાલ કેમ્પને નષ્ટ કરવામાં આવ્યો છે. જે જૈશ-એ-મોહમ્મદનો સ્ટેજિંગ એરિયા હતો. જે હથિયાર, વિસ્ફોટક અને જંગલ સર્વાઇવલ ટ્રેનિંગનું કેન્દ્ર હતું. ન્ર્ંઝ્રથી ૩૦ કિમીના અંતરે આવેલ લશ્કર-એ-તૈયબાનો બેઝ કોટલીનું ગુલપુર કેમ્પ પણ નષ્ટ થયો છે. આ કેમ્પ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં એક્ટિવ હતો. આ કેમ્પે આંતકવાદીઓને ૨૦ એપ્રિલ, ૨૦૨૩માં પૂંછ અને ૯ એપ્રિલ, ૨૦૨૪ના તીર્થયાત્રીઓના બસ પર હુમલાની ટ્રેનિંગ આપી હતી. એલઓસીથી ૯ કિમી દૂર બરનાલા કેમ્પ ભિમબર પણ ઉડાવી દેવામાં આવ્યું છે. બરનાલા કેમ્પ હથિયાર, હેન્ડલિંગ, ૈંઈડ્ઢ, અને જંગલ સર્વાઈવલનું ટ્રેનિંગ સેન્ટર હતું. કોટલીના અબ્બાસ કેમ્પમાં ફિદાયીન લોકોને આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.
પાકિસ્તાનની અંદર આતંકવાદીઓને ટ્રેનિંગ આપતાં સિયાલકોટના સરજલ આતંકી કેમ્પનો સફાયો થયો છે. જે આંતરરાષ્ટ્રીય સરહદથી ૬ કીમીના અંતરે છે. માર્ચ, ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરના ચાર જવાનોની હત્યામાં સામેલ આતંકવાદીઓને અહીં જ ટ્રેનિંગ આપવામાં આવી હતી. મેહમૂના જાેયા સિયાલકોટ હિઝબુલ મુઝાહિદ્દીનનો મોટો કેમ્પ પણ નષ્ટ થયો છે. જે જમ્મુના કઠુઆમાં આતંકવાદ ફેલાવવાનું કેન્દ્ર હતો. મુરીદકેના મરકજ તૈયબા આતંકી કેમ્પને પણ ઉડાવી દેવામાં આવ્યો હતો. જ્યાં અઝમલ કસાબ અને ડેવિડ હેડલીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદથી ૧૮-૨૫ કિમીના અંતરે છે.

Related Posts