અમરેલી

દયા ભાવના દામનગર ના વિવિધ વિસ્તારો માં મુક પશુ પક્ષી ઓને પીવા ના પાણી માટે ટાંકી વિતરણ કરાય

દામનગર શહેર માં પાંચ થી વધુ સ્થળો ઉપર જીવદયા પ્રેમી દાતા ઓના આર્થિક સહયોગ થી મુક પશુ પક્ષી ઓ માટે પીવા ના પાણી ની ટાંકી વિતરણ કરાય હતી શક્તિ પીઠ ગાયત્રી મંદિર  શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા સહિત ની સંસ્થા મારફતે દામનગર શહેર ના ઉદારદીલ દાતા ઓના આર્થિક સહયોગ થી વિના મૂલ્યે મીની અવેડા વિતરણ કરાય હતા દરેક વ્યક્તિ પોતા ના આંગણ પાસે શેરી બજાર માં માત્ર દૈનિક એક ડોલ પાણી નાખી ઘર આંગણે પરમાર્થ કરી શકે મુક પશુ પક્ષી ઓના કંઠ લીલા રાખવા યુવાનો દ્વારા જીવદયા નું નાનું પણ સુંદર કાર્ય કરાયું છે જે પરિવાર પશુ પક્ષી ના કુંડી ભરશે તેનું આગામી દિવસો માં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આકર્ષક સન્માન પત્ર અર્પિ સન્માન કરાશે 

Related Posts