રાષ્ટ્રીય

ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન માં ટોળાનો હુમલો, પથ્થરમારો અને તોડફોડના કારણે મુસાફરોમાં ડરી ગયા

ઝાંસીથી પ્રયાગરાજ જઈ રહેલી ટ્રેન પર અમુક અસામાજીક તત્વો દ્વારા હરપાલપુર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હુમલાખોરોએ ટ્રેનમાં તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો.આ ઘટના ઝાંસી ડિવિઝનના હરપાલપુર સ્ટેશન પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ ટ્રેન પર એટલો ખતરનાક હુમલો કર્યો કે બોગીમાં સવાર મુસાફરો ડરી ગયા. હુમલા સાથે જાેડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે ભીડમાં ઘણા લોકો ટ્રેનની બોગી પર પથ્થરમારો કરી રહ્યા છે.

તેવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ ટ્રેનની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ જ્યારે લોકો અંદર પ્રવેશી શક્યા ન હતા તો તેઓએ બોગીના ગેટ અને બારીઓ તોડી નાખી હતી. આપને જણાવી દઈએ કે આવતીકાલે મૌની અમાવસ્યાના કારણે પ્રયાગરાજમાં રેકોર્ડ બ્રેક ભીડની આશા છે. આજથી જ લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રયાગરાજ જતી ટ્રેન પર ટોળાના આ હુમલાને કારણે રેલવે સુરક્ષાની તત્પરતા પર સવાલો ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મહાકુંભને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ પ્રશાસને સમગ્ર પ્રયાગરાજમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. કુંભ શહેરમાં વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓની સાથે વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts