“તૌક્તે” વાવાઝોડા ના કારણે ખેતીવાડી વીજ પુરવઠો છેલ્લા એક માસથી સાવરકુંડલા PGVCL કચેરી જેસર રોડ તથા વીજપડી PGVCL પેટા વિભાગીય કચેરી હેઠળ ગામોને ખેતીવાડી વીજળી, પુનઃ સ્થાપન ની કામગીરી થઇ રહેલ ના હતી જેના કારણે ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા તંત્રની સામે અલગ અલગ કચેરીએ ધરણા કરતા તંત્ર સફાળું જાગ્યું અને હરકતમાં આવેલ જેના ભાગ રૂપે સરકાર શ્રી તરફથી પહેલા માત્ર ૧૦૦ પોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવતા હતા તેમની જગ્યાએ હવે ૧૦૦૦ પોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવશે, જેમાં દરેક ગામના ખેડૂતો દ્વારા જણાવ્યા મુજબ ખેડૂત પોતાના વાહનો દ્વારા પોલ ઉભા કરવા માટે સહયોગ આપશે,
જેથી ટૂંક સમયમાં અને શેડ્યુલ પ્રમાણે ગામોને આવરીને તમામ વીજ પુનઃ સ્થાપન કામગીરી કરવામાં શેડ્યુલ નક્કી થયેથી સોસિયલ મીડિયા તરફથી જાણ કરવામાં આવશે ધારાસભ્ય પ્રતાપ દુધાત તેમજ મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, કિરીટભાઈ દવે પ્રમુખ , શહેર કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, હાર્દિકભાઈ કાનાણી પૂર્વ ઉપ પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી, આજ રોજ તા. ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવાર ના રોજ વીજપડી PGVCL કચેરી ખાતે તથા તા.૨૨/૦૬/૨૦૨૧ ના રોજ PGVCL કચેરી જેસર રોડ સામે ઉપવાસ પર બેસ્યા હતા જેમાંઅશ્વિનભાઈ ધામેલિયા પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત સાવરકુંડલા, ભૌતીક્ભાઈ સુહાગીયા યુથ કોંગ્રેસ પ્રમુખ, નરેશભાઈ દેવાણી, શિવરાજભાઇ ખુમાણ સરપંચ શ્રી હાથસણી,ઘનશ્યામભાઈ દુધાત મોટા ઝીંઝુડા,અતુલભાઈ રૂપારેલિયા કાનાતળાવ શંભુગીરીબાપુ, તેમજ કોંગ્રેસ ના આગેવાનો તથા સાવરકુંડલા શહેર કોંગ્રેસ ના આગેવાન હસુભાઈ સૂચક, સાવરકુંડલા અશોકભાઈ ખુમાણ, નગરપાલિકા ના સદસ્યો શ્રીઓ, તેમજ દરક ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા, વિજયાનગર, બાઢડા, ધજડી, સાકારપરા, નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, પીઠવડી, ભેકરા, સેંજળ, ખાલપર, આંકો લડા, મેકડા, વંડા, ફાચરીયા, પીયાવા, કુકાવાવ, મેવાસા, વાંશીયાળી, જેજળ, ઠવી, વીરડી, નાના ભમોદરા, ચરખડીયા, ઓળિયા, કરજાળા, નેસડી, કાનાતળાવ, હાથસણી, સીમરણ, જીરા, બોરાળા, જુનાસાવાર,કેરાળા, ધાર, મોલડી, અમૃતવેલ, ભુવા, ભોકારવા, નાનીવડાળ ગામો માંથી ખેડૂતો તેમજ આગેવાનો હાજર રહીયા હતા.
આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા તાલુકાના ગામોમાં ખેતીવાડી વીજ પ્રશ્ન છેલ્લા એક માસથી ચાલતો હતો તે પ્રશ્ને તંત્ર અને સરકાર શ્રીની સામે આક્રોસ વ્યક્ત કરીને સતત બે દિવસ સુધી અનસન પર ઉતરીને તંત્રને હરકતમાં લાવેલ અને તંત્ર દ્વારા સાવરકુંડલા તાલુકા નાં ગામો તા ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં સંપૂર્ણપણે વીજ પુનઃ સ્થાપન ની કામગીરીની ખાત્રી આપતા આ પ્રશ્નનો સુખદ અંત આવેલ છે.
Recent Comments